PAKમાં ખુલ્લેઆમ ફરતો દેખાયો હિજબુલ ચીફ સલાહુદ્દીન, આતંકીની અંતિમયાત્રામાં ભારત સામે ઝેર ઓક્યું

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુબોધ કુમાર.નવી દિલ્હીઃ હિઝબુલ ચીફ સૈયદ સલાહુદ્દીન પાકિસ્તાનમાં માર્યા ગયેલા હિઝબુલ મુજાહિદ્દીનના લોન્ચિંગ કમાન્ડર બશીર અહેમદ પીર ઉર્ફે ઇમ્તિયાઝ આલમના અંતિમ સંસ્કારમાં ખુલ્લેઆમ હાજરી આપી હતી. આટલું જ નહીં, તેણે અંતિમ સંસ્કારનું નેતૃત્વ કર્યું. મળતી માહિતી મુજબ, પાકિસ્તાની સૈનિકો અને ત્યાંની ભીડે આતંકવાદી ઈમ્તિયાઝ માટે નારા લગાવ્યા અને ભારતને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી. ઈમ્તિયાઝના અંતિમ સંસ્કારમાં સૈયદ સલાહુદ્દીને નમાજ પણ અદા કરી હતી.

અમદાવાદમાં યમદૂત બની ટ્રક યુવકના માથા પર ફરી વળ્યો, ઘટનાસ્થળે જ મોત

હિઝબુલ ચીફ સૈયદ સલાહુદ્દીન પાકિસ્તાનના રાવલપિંડીમાં જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, તે રાવલપિંડીમાં આતંકી ઈમ્તિયાઝની દફનવિધિ દરમિયાન જોવા મળ્યો હતો. નોંધનીય છે કે તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના રહેવાસી આતંકવાદી બશીર અહમદ પીર ઉર્ફે ઇમ્તિયાઝ આલમની પાકિસ્તાનમાં એક અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલો હતો. ઈમ્તિયાઝ આલમને ભારત સરકારે UAPAની જોગવાઈઓ હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો.

गोलियों से भूनकर कर दी गई थी हत्या

આ પણ વાંચો

ADVERTISEMENT

ઈમ્તિયાઝ કુપવાડાનો રહેવાસી હતો
મળતી માહિતી મુજબ, સોમવારે પાકિસ્તાનના રાવલપિંડીમાં હિઝબુલ મુજાહિદ્દીનના લોન્ચિંગ કમાન્ડર બશીર અહેમદ પીર ઉર્ફે ઇમ્તિયાઝ આલમ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે બશીર અહેમદ પીર ઉર્ફે ઈમ્તિયાઝ પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

हिजबुल मुजाहिदीन का लॉन्चिंग कमांडर था आतंकी इम्तियाज

ADVERTISEMENT

જ્યારે બશીર એક દુકાનની બહાર હતો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. બશીર અહમદ પીર જમ્મુ-કાશ્મીરનો રહેવાસી હતો. કુપવાડા જિલ્લાના બાબરપોરાના રહેવાસી બશીરને ભારત સરકારે ગયા વર્ષે જ આતંકવાદી જાહેર કર્યો હતો.

ADVERTISEMENT

બોલો… ભુજ પાલિકાની બેદરકારી કે કટકી?: 18 વર્ષથી નાની કિશોરીને મેરેજ સર્ટી બનાવી દીધું

ગયા વર્ષે 4 ઓક્ટોબરે ગૃહ મંત્રાલયે UAPA એક્ટની જોગવાઈઓ હેઠળ બશીરને આતંકવાદી જાહેર કર્યો હતો. પાકિસ્તાનથી ઘૂસણખોરી કરીને જમ્મુ-કાશ્મીરમાં આવતા આતંકવાદીઓને લોજિસ્ટિક્સ અને અન્ય સહાય પૂરી પાડવાના આરોપમાં બશીર અહેમદ પીરનું નામ ઘણી વખત સામે આવ્યું હતું. આ પછી, ગૃહ મંત્રાલયે તેમને UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યા હતા. બશીર અહમદ પીર જમ્મુ-કાશ્મીરથી પાકિસ્તાન ભાગી ગયો હતો. બશીર અહમદ પીરે પાકિસ્તાનના રાવલપિંડી શહેરને પોતાનો અડ્ડો બનાવ્યો હતો. બશીર અહેમદ પીર રાવલપિંડીમાં બેસીને હિઝબુલ મુજાહિદ્દીન માટે કામ કરતો હતો. રાવલપિંડીમાં બેસીને તે જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને લોજિસ્ટિક્સ અને અન્ય સાધનો પૂરા પાડતો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT