BREAKING: ભક્તોની આસ્થાની જીત, અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થશે, સરકારની જાહેરાત

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

અંબાજી: શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદમાં ભક્તોની આસ્થાની જીત થઈ છે. મંદિર ટ્રસ્ટ સાથે બેઠક બાદ સરકારે જાહેરાત કરી છે કે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાશે. આ સાથે ચિક્કીનો પ્રસાદ પણ ચાલું રહેશે. મંદિરના વહીવટદારો સાથે સરકારની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ મોહનથાળની ક્વોલિટી સુધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

માઈભક્તોનો રોષ જોતા સરકારે મધ્યસ્થી કરવી પડી
ખાસ બાબત છે કે, 3 માર્ચથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈને માઈભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. રાજ્યભરમાં જુદા જુદા સ્થળો પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. તેમાં પણ છેલ્લા પાંચ દિવસમાં પ્રસાદનો વિવાદ સતત વકરતા સરકાર એક્શનમાં આવી હતી. 3 દિવસ પહેલા મંદિરમાં મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં થાય તેમ કહેનારા મંત્રી ઋષિકેશ પટેલે આજે ખુદ જાહેરાત કરવી પડી કે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થશે. જોકે તેની ક્વોલિટીને વધુ સારી બનાવવામાં આવશે જેથી તે લાંબો સમય સુધી ટકી રહે.

દાંતા સ્ટેટના રાજવી પરિવારે પણ નિર્ણયનો વિરોધ કર્યો હતો
હિન્દુ સંગઠનો, માઈભક્તો દ્વારા મંદિર ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરીને ફરી તેને શરૂ કરવાની માગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે અંબાજીમાં ચિક્કીનો જ પ્રસાદ ચાલુ રહેશે. ત્યારે હવે દાંતાનો રાજવી પરિવાર આ મામલે મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા માગણી કરી રહ્યો છે. દાંતા સ્ટેટના રાજવી પરિવારે PMને ટ્વીટ કરીને આ મામલે મધ્યસ્થી કરવા કહ્યું હતું તથા હાઈકોર્ટમાં પણ અરજી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT