ગરમીથી બેભાન થયેલા વ્યક્તિને પાણી પીવડાવવું જોઈએ કે નહીં? સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી ખાસ વાંચી લેજો

Gujarat Tak

• 01:02 PM • 07 May 2024

Heatwave Alert: આકરા ઉનાળા વચ્ચે ગુજરાતમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી આપી છે. દેશભરના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે.

Heat wave

Heat wave

follow google news

Heatwave Alert: આકરા ઉનાળા વચ્ચે ગુજરાતમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી આપી છે. દેશભરના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. જો ગરમી આમ જ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં ડિહાઇડ્રેશનના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે. હીટવેવના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.

આ પણ વાંચો

આરોગ્ય મંત્રાલયે તેની માર્ગદર્શિકામાં શું કહ્યું?

સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને હીટવેવથી બચવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ ઉપરાંત, જો તમે ગરમીને કારણે ગભરાટ જેવું અનુભવો છો, તો પોતાને હાઇડ્રેટેડ રાખવાની સલાહ આપવામાં આવે છે. આવા લોકોને પુષ્કળ પાણી પીવા, ઢીલા કપડાં પહેરવા અને ઠંડી જગ્યાએ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ બેભાન અવસ્થામાં હોય તો તેને તે જ ક્ષણે પાણી ન આપવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: લોકસભાની ચૂંટણી વચ્ચે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની લથડી તબિયત, હોસ્પિટલમાં દાખલ

નિષ્ણાતોનો અભિપ્રાય શું છે?

નિષ્ણાતોના મતે, બેભાન વ્યક્તિને પાણી ગળવામાં તકલીફ થાય છે. આવી સ્થિતિમાં આ પાણી પેટને બદલે ફેફસામાં પ્રવેશી શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ ઉપરાંત તેને ન્યુમોનિયા થવાનું જોખમ પણ વધી શકે છે.

ઇલેક્ટ્રોલાઇટ અસંતુલનની સ્થિતિ આવી શકે છે

જો કોઈ વ્યક્તિને પાણી અથવા પ્રવાહી ખોટી રીતે આપવામાં આવે છે, તો તે લોહીના પ્રવાહમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું અસંતુલન પેદા કરી શકે છે. તેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય વ્યક્તિના બેભાન થવા પાછળનું સાચું કારણ જાણવામાં વિલંબ થઈ શકે છે.

આ પણ વાંચો: Lok Sabha Election: અમદાવાદમાં મતદાન કરતા પહેલા PM મોદી કોને પગે લાગ્યા? જાણો કોણ છે આ વ્યક્તિ

જ્યારે કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય ત્યારે શું કરવું?

જો કોઈ વ્યક્તિ બેભાન હોય, તો ઈમરજન્સીની સ્થિતિમાં, વ્યક્તિનું માથું હળવા હાથે એક તરફ નમાવવું અને દાઢીના ભાગને ઊપર કરી દો. આનાથી શ્વસનતંત્રનો માર્ગ ખુલ્લો રહેશે. શ્વાસ ન લેવાના કિસ્સામાં, તેને રિકવરી સ્થિતિ પણ કહેવામાં આવે છે. જો કોઈ બેભાન વ્યક્તિને ઉલટી થાય છે, તો આ સ્થિતિ તેને ગૂંગળામણથી બચાવે છે. આ સમય દરમિયાન, જુઓ કે બેભાન વ્યક્તિ શ્વાસ લેવામાં સક્ષમ છે કે નહીં. જો તે શ્વાસ ન લેતો હોય તો તેને CPR આપવાનો પ્રયાસ કરો. જો આ પછી પણ વ્યક્તિને કોઈ સમસ્યા થઈ રહી હોય તો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાઓ.
 

    follow whatsapp