Haldi Ceremony: લગ્ન પહેલા વર-કન્યાને કેમ લગાવવામાં આવે છે હલ્દી? જાણો શું છે ધાર્મિક માન્યતા

Gujarat Tak

24 Apr 2024 (अपडेटेड: Apr 24 2024 4:10 PM)

Haldi Ceremony: સનાતન ધર્મમાં લગ્ન દરમિયાન અનેક પ્રકારની વિધિઓ કરવામાં આવે છે. તમામ ધાર્મિક વિધિઓનું વિશેષ મહત્વ છે. આમાંથી એક વિધિ છે હલ્દીની. આ વિધિમાં લગ્ન પહેલા વર અને કન્યાને હલ્દી લગાવવામાં આવે છે.

Haldi Ceremony

લગ્ન પહેલા વર અને કન્યાને શા માટે લગાવાય છે હલ્દી?

follow google news

Haldi Ceremony: સનાતન ધર્મમાં લગ્ન દરમિયાન અનેક પ્રકારની વિધિઓ કરવામાં આવે છે. તમામ ધાર્મિક વિધિઓનું વિશેષ મહત્વ છે. આમાંથી એક વિધિ છે હલ્દીની. આ વિધિમાં લગ્ન પહેલા વર અને કન્યાને હલ્દી લગાવવામાં આવે છે. હલ્દીમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે, જેના કારણે હલ્દી લગાવવાથી ત્વચામાં ચમક આવે છે. સાથે જ વર અને કન્યાના ચહેરા પર નિખાર આવે છે. ચાલો જાણીએ લગ્ન પહેલા વર-કન્યાને હલ્દી કેમ લગાવવામાં આવે છે?

આ પણ વાંચો

આ માટે લગાવવામાં આવે છે હલ્દી

ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર કહેવાય છે. કોઈપણ માંગલિક અને શુભ કાર્યોમાં પ્રભુની પૂજા જરૂર કરવામાં આવે છે. શ્રી હરિની પૂજામાં હલ્દીનું ખૂબ જ ખાસ મહત્વ છે. આખરે આ કારણ છે કે લગ્ન પહેલા વર અને કન્યાને હલ્દી લગાવવી શુભ માનવામાં આવે છે. હલ્દીને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. વર અને કન્યાને ખરાબ નજરથી બચાવવા માટે હલ્દી લગાવવામાં આવે છે.

હલ્દી લગાવવાનું મહત્વ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુને વિવાહ અને વૈવાહિક સંબંધોનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ કારણે લગ્ન પહેલા વર અને કન્યાને હલ્દી લગાવવાથી દાંપત્યજીવન હંમેશા ખુશહાલ રહે છે. સાથે જ હલ્દી લગાવવાથી નકારાત્મક ઉર્જા પણ દૂર રહે છે. હલ્દીની શુભતા અને તેનો રંગ દાંપત્યજીવનમાં સમૃદ્ધિ લાવે છે.

વૈજ્ઞાનિક કારણ

હલ્દી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તેથી હલ્દી લગાવવાથી ઈન્ફેક્શન થતું નથી અને રંગમાં પણ નિખાર આવે છે. સાથે જ થાક પણ દૂર થાય છે.


નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી જ્યોતિષ માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. 

    follow whatsapp