Arvind Kejriwal Case: દિલ્હી સીએમને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો, હજુ જેલમાં જ રહેશે કેજરીવાલ

Gujarat Tak

09 Apr 2024 (अपडेटेड: Apr 9 2024 4:38 PM)

દિલ્હીની લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઝટકો લાગ્યો છે. સીએમ કેજરીવાલે ધરપકડને પડકારતી અરજી કોર્ટમાં કરી હતી.

Arvind Kejriwal

દિલ્હી સીએમને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો

follow google news

Arvind Kejriwal News: દિલ્હીની લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઝટકો લાગ્યો છે. સીએમ કેજરીવાલે ધરપકડને પડકારતી અરજી કોર્ટમાં કરી હતી. દિલ્હી હાઈકોર્ટે એક્સાઈઝ પોલિસી મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડને પડકારતી સીએમ અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી છે. એજન્સીએ તેની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. કોઈને વિશેષાધિકાર આપી શકાય નહીં. ED પાસે પૂરતા પુરાવા છે. તપાસમાં મુખ્યમંત્રીને પૂછપરછમાંથી મુક્તિ આપી શકાય નહીં. ન્યાયાધીશો કાયદાથી બંધાયેલા છે, રાજકારણથી નહીં.

આ પણ વાંચો


કેજરીવાલની ધરપકડ પર દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું?

અરવિંદ કેજરીવાલની ધરપકડ પર દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, EDએ પોતાની દલીલમાં કહ્યું છે કે અરજદાર આ સમગ્ર મામલામાં સામેલ છે. આ કેસમાં રાઘવ મુંગતા અને શરત રેડ્ડીના નિવેદનોની જેમ અનેક નિવેદનો નોંધવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલ વતી તેમની અરજીમાં સરકારી સાક્ષીઓના નિવેદનો પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ અંગે ટિપ્પણી કરતા હાઈકોર્ટે કહ્યું કે મંજૂરી આપનારનું નિવેદન ED દ્વારા નહીં પરંતુ કોર્ટ દ્વારા લખવામાં આવે છે. જો તમે તેને સવાલ કરો છો તો તમે જજને સવાલ કરો છો. રેડ્ડીના નિવેદન પર પણ સવાલો ઉભા થયા છે. કેજરીવાલને સાક્ષીઓને ઉલટવાનો અધિકાર છે. પરંતુ નીચલી કોર્ટમાં અને હાઈકોર્ટમાં નહીં. કોઈપણ વ્યક્તિની સગવડતા મુજબ તપાસ થઈ શકે નહીં. એજન્સી તપાસ દરમિયાન કોઈના ઘરે જઈ શકે છે.

આ પણ વાંચો:- 12 પાસ માટે કેબિનેટ સચિવાલયમાં ભરતી, પગાર પણ શાનદાર; જુઓ SSC પરીક્ષા કેલેન્ડર

અરવિંદ કેજરીવાલે આ પ્રશ્નો ઉઠાવ્યા

કેજરીવાલે કહ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની ધરપકડ કરવામાં આવી છે. આ લોકશાહી, નિષ્પક્ષ ચૂંટણી અને સમાન તક સહિત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન છે. જ્યારે EDએ કહ્યું છે કે કાયદો દરેકને સમાન રીતે લાગુ પડે છે.

    follow whatsapp