Akshaya Tritiya પર કરો આ 3 ચમત્કારી ઉપાય, માં લક્ષ્મીજી જરૂર થશે પ્રસન્ન!

Gujarat Tak

29 Apr 2024 (अपडेटेड: Apr 29 2024 5:36 PM)

Akshaya Tritiya Upay: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અક્ષય તૃતીયાનો પર્વ મનાવવામાં આવે છે.

 Akshaya Tritiya Upay

અક્ષય તૃતીયા પર જરૂર કરો આ મહાઉપાય

follow google news

Akshaya Tritiya Upay: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અક્ષય તૃતીયાનો પર્વ મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર, આ વર્ષે અક્ષય તૃતીયા 10 મે 2024ને શનિવારે છે. આ દિવસે જે લોકો સાચા મનથી માં લક્ષ્મીજીની પૂજા કરે છે, તેમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 

આ પણ વાંચો

જ્યોતિષ શાસ્ત્રમાં અક્ષય તૃતીયાના દિવસે ઘરે બરકત અને માં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટેના ઉપાયો જણાવવામાં આવ્યા છે. તો આજે આ લેખમાં જાણીશું કે કયા-કયા ઉપાયોથી માં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુંને પ્રસન્ન કરી શકાય છે. 

અક્ષય તૃતીયાના દિવસે કરો આ ઉપાય

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અક્ષય તૃતીયાના દિવસે વૃક્ષારોપણ કરવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે પીપળ, કેરી, આમળા વગેરે વૃક્ષો લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો અક્ષય તૃતીયાના દિવસે વૃક્ષારોપણ કરે છે તેમના પર માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. સાથે જ ઘરમાં બરકતની સાથે ધન-દૌલતમાં વૃદ્ધિ થાય છે. 

આર્થિક તંગી દૂર કરવાના ઉપાય

જ્યોતિષના મતે જો તમે આર્થિક તંગીથી પરેશાન છો કે પૈસા ખર્ચ થઈ જાય છે. આવી સ્થિતિમાં અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ છે. અક્ષય તૃતીયાના દિવસે કળશમાં જળ ભરીને દાન કરો. જળથી ભરેલા કળશનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે જળથી ભરેલા કળશનું દાન કરે છે તેમના પર માં લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે. સાથે જ માં લક્ષ્મીજી તમારી આર્થિક તંગીની સમસ્યા દૂર કરે છે.

ઘરે થશે પૈસાનું આગમન 

જ્યોતિષીઓ અનુસાર, અક્ષય તૃતીયાના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર કેરી અથવા અશોકના પાનનું તોરણ લગાવો. સાથે જ માં લક્ષ્મીના વૈદિક મંત્રોનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આવા ઉપાય કરવાથી ઘરમાં કોઈ આર્થિક સમસ્યા રહેતી નથી. સાથે જ ઘરમાં અચાનક ધન આવવા લાગે છે.


નોંધઃ અહીં આપવામાં આવેલી જાણકારી જ્યોતિષીય અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. 
 

    follow whatsapp