ઓહો… કરો વાતઃ ગુજરાતના આરોગ્ય મંત્રીએ જ કરાવ્યું પ્રાઈવેટ હોસ્પિટલમાં ઓપરેશન, સરકારી હોસ્પિટલમાં કેમ નહીં?

Yogesh Gajjar

• 01:05 PM • 02 Jan 2023

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં પથરી તો શું કેન્સર સહિતની બિમારીઓમાં પણ સક્ષમતાના દાવાઓ વચ્ચે પથરીના ઓપરેશન માટે ખુદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખાનગી હોસ્પિટલ…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં પથરી તો શું કેન્સર સહિતની બિમારીઓમાં પણ સક્ષમતાના દાવાઓ વચ્ચે પથરીના ઓપરેશન માટે ખુદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખાનગી હોસ્પિટલ પર વધુ ભરોસો મુક્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હમણાં બિમાર પડ્યા ત્યારે પણ તેમને પણ અહીં અમદાવાદની ટ્રસ્ટ સંચાલિત યુ એન મહેતામાં થઈ હતી. ઉપરાંત જ્યારે આરોગ્ય મંત્રીને જ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડે તો સરકારી આરોગ્ય વિભાગ પર લોકોનો ભરોસો કેટલો ટકે? તે એક પ્રશ્ન ઊભો થાય છે.

આ પણ વાંચો

S G હાઈવેની લક્ઝૂરિયસ હોસ્પિટલમાં કરાવી સારવાર
બન્યું એવું છે કે, છેલ્લા એક મહિનાથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને દુઃખાવો રહેતો હતો, શુક્રવારે અચાનક તેમને વધારે પડતો દુઃખાવો થયો હતો. ત્યારે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં ખબર પડી કે તેમને પથરી છે. વિધાનસભાનું સત્ર હતું ત્યારે પણ તેમને દુઃખાવો થયો હતો અને દર થોડી થોડી વખતે બાથરુમ જવું પડતું હતું. જોકે તેમણે કોઈને તે વખત કહ્યું નહીં અને લિક્વીડ પર રહ્યાની જાણકારી મળી રહી છે. શુક્રવારે એટલે કે 30 ડિસેમ્બરે અમદાવાદના એસજી હાઈવે પરની લક્ઝૂરિયસ એવી કે ડી હોસ્પિટલમાં તેમણે ઓપરેશન કરાવ્યું અને તે હવે આ ઓપરેશનને પગલે 3 જાન્યુઆરી સુધી સચિવાલયમાં જોવા મળશે નહીં.

અગાઉ આ નેતાઓએ પણ કરાવી હતી પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર
ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રીએ સરકારી હોસ્પિટલને બદલે ખાનગી લક્ઝૂરિયસ હોસ્પિટલમાં સારવાર લેતા ઘણા સવાલો ઊભા થયા છે. જોકે પોતાના અંગત વીમાને પગલે તેમણે કે ડી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું છે, તેમણે ધારાસભ્ય તરીકે તેમને સરકારમાંથી એકપણ વખત સારવાર લીધાનો ક્લેમ કર્યો નથી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આરોગ્યમંત્રી નીતિન પટેલે પણ ઢીંચણનું ઓપરેશન મુંબઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં જ કરાવ્યું હતું. રૂપાણી સરકાર વખતે ગૃહ પ્રધાન રહી ચુકેલા પ્રદીપસિંહ જાડેજાએ પણ જેતે સમયે પ્રાઈવેટ હોસ્પિટલમાં પોતાની બિમારીની સારવાર કરાવી હતી. જેથી જ્યાં નેતાઓને સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવું પસંદ કરવું નથી તો સામાન્ય જનતા માટે સરકારી હોસ્પિટલ્સ પર વિશ્વાસ કરવો કેવી રીતે સંભવ બનશે તે હાલ પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

    follow whatsapp