હપ્તાખોરીની પોલ ઉઘાડનારા Mehul Boghra સામે ASIએ ફરિયાદ નોંધાવી, જાણો શું આરોપ મૂક્યા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: લસકાણા ખાતે કેનાલ રોડ પર એડવોકેટ મેહુલ બોઘરા (Mehul Boghra) પર પોલીસકર્મી દ્વારા જીવલેણ હુમલા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા એડવોકેટ મેહુલ બોઘરા સામે ટ્રાફિકના ASIએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મેહુલ બોઘરા પર એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. તથા રોજના 1000 પેટે રૂ.30000 રૂપિયાની માંગણી કરાઈ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

મેહુલ બોઘરા પર લાંચ માગવાનો આરોપ મૂક્યો
સુરતના ટ્રાફિક શાખામાં નોકરી કરતા ASI અરવિંદ ગામીતે એડવોકેટ મેહુલ બોઘરા પર સામી ફરિયાદ નોંધાવી છે. જેમાં મેહુલ બોઘરા પર આરોપ મૂકાયો છે કે, તેમણે મહિના અગાઉ ટી.આર.બીના સુપરવાઈઝર સાજનભાઈનો વીડિયો ઉતારીને રોજના 1000 લેખે રૂ.30000 માગ્યા હતા. જેની વસૂલી માટે જ તેઓ આવ્યા હતા. આ સાથે જ એડવોકેટ પર સાજનભાઈના યુનિફોર્મના શર્ટનું ખિસ્સું ફાડવા, સોલ્ડર બેઝ તોડી નાખવાનો આરોપ મૂકાયો છે. મેહુલ બોઘરા સામેની ફરિયાદમાં એટ્રોસિટી એક્ટ હેઠળની પણ કલમો ઉમેરાઈ છે. ASI અરવિંદ ગામીતે આરોપ મૂક્યો છે કે, મેહુલ બોઘરાએ જાતિવાચક શબ્દો કહ્યા અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને પોલીસની કામગીરીમાં વિક્ષેપ ઊભો કર્યો.

ADVERTISEMENT

કોમન ડ્રેસમાં દેખાતા TRB સુપરવાઇઝરનો યુનિફોર્મ ફાડી નાખ્યાનો આક્ષેપ
ગઈકાલે જ એડવોકેટ મેહુલ બોઘરાએ લસકાણા કેનાલ રોડ પરથી લાઈવ વીડિયો કર્યો હતો. જેમાં હુમલો કરનાર ટી.આર.બી સુપરવાઈઝર કોમન ડ્રેસમાં દેખાઈ રહ્યો છે. ત્યારે ASIએ પોતે નોંધાવેલી ફરિયાદમાં એડવોકેટ પર ટ્રાફિક સુપરવાઈઝરનો ડ્રેસ ફાડી નાખ્યો હોવાનો આક્ષેપ મૂકી રહ્યા છે. જેના પરથી પોલીસ પણ ખૂદ આ મામલે હુમલાખોરનો બચાવ કરતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

સુરતના લસકાણા કેનાલ રોડ પર એડવોકેટ પર હુમલો થયો હતો
નોંધનીય છે કે, સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી ખોટી રીતે બેફામ ઉઘરાણી કરાવાતી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. એવામાં એડવોકેટ મેહુલ બોઘરા ગઈકાલે લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને સોશિયલ મીડિયા પર લાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન TRBના સુપરવાઈઝર તેના પર લાકડી લઈને તૂટી પડ્યો હતો. જેમાં એડવોકેટ લોહીલુહાણ થઈ જતા તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    CCTV: Rajkotમાં જૈન દેરાસરમાં દર્શન કરતા યુવક પર જીવલેણ હુમલો, 9 સેકન્ડમાં છરીના 5 ઘા ઝિંકી દીધા

    CCTV: Rajkotમાં જૈન દેરાસરમાં દર્શન કરતા યુવક પર જીવલેણ હુમલો, 9 સેકન્ડમાં છરીના 5 ઘા ઝિંકી દીધા

    RECOMMENDED
    મર્ડર કેસમાં ફસાયેલા આ ક્રિકેટરને લઈને કેપ્ટને મૌન તોડ્યું, કહ્યું- 'આ પ્રકારના કેસ...'

    મર્ડર કેસમાં ફસાયેલા આ ક્રિકેટરને લઈને કેપ્ટને મૌન તોડ્યું, કહ્યું- 'આ પ્રકારના કેસ...'

    RECOMMENDED
    Rajkotમાં પહેલીવાર રાઈડ્સ વગર લોકમેળાનો પ્રારંભ, નેતાઓ સહિત લોકોને મેળો ફિક્કો લાગ્યો

    Rajkotમાં પહેલીવાર રાઈડ્સ વગર લોકમેળાનો પ્રારંભ, નેતાઓ સહિત લોકોને મેળો ફિક્કો લાગ્યો

    RECOMMENDED
    પરીક્ષા વગર જ પોસ્ટમાં સરકારી નોકરી, 10મું પાસ ઉમેદવાર તરત જ કરો અરજી

    પરીક્ષા વગર જ પોસ્ટમાં સરકારી નોકરી, 10મું પાસ ઉમેદવાર તરત જ કરો અરજી

    MOST READ
    ICC New Chairman: ICCના અધ્યક્ષ બનતા જય શાહના હાથમાં કેટલો પાવર? કેટલી સેલેરી મળશે, જાણો બધું...

    ICC New Chairman: ICCના અધ્યક્ષ બનતા જય શાહના હાથમાં કેટલો પાવર? કેટલી સેલેરી મળશે, જાણો બધું...

    RECOMMENDED
    Vodafone-Idea ના યુઝર્સ માટે નવી મુસીબત, શું Jio અને Airtel પણ આપશે આવો ઝટકો?

    Vodafone-Idea ના યુઝર્સ માટે નવી મુસીબત, શું Jio અને Airtel પણ આપશે આવો ઝટકો?

    MOST READ
    સરકારી નોકરી માટે વધુ એક તક, GSSSB જાહેર કરી નવી ભરતી; જાણો પોસ્ટથી લઈ પગાર સુધીની તમામ માહિતી

    સરકારી નોકરી માટે વધુ એક તક, GSSSB જાહેર કરી નવી ભરતી; જાણો પોસ્ટથી લઈ પગાર સુધીની તમામ માહિતી

    MOST READ
    Gandhinagar: રાઘવજી પટેલની ખેડૂતલક્ષી મહત્વની જાહેરાત, કૃષિ મંત્રીએ ચોમાસું સત્રમાં આપી જાણકારી

    Gandhinagar: રાઘવજી પટેલની ખેડૂતલક્ષી મહત્વની જાહેરાત, કૃષિ મંત્રીએ ચોમાસું સત્રમાં આપી જાણકારી

    RECOMMENDED
    જો બાઈડન બાદ પુતિને લગાવ્યો PM મોદીને ફોન, જાણો કયા મુદ્દે થઈ વાતચીત

    જો બાઈડન બાદ પુતિને લગાવ્યો PM મોદીને ફોન, જાણો કયા મુદ્દે થઈ વાતચીત

    RECOMMENDED
    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    MOST READ