ક્રિકેટમાંથી સંન્યાસને લઈને Rohit Sharma એ કરી મોટી જાહેરાત, કહ્યું- જે દિવસે હું...

ADVERTISEMENT

Rohit Sharma
Rohit Sharma
social share
google news

Rohit Sharma: ભારતે ઈંગ્લેન્ડ સામેની ધર્મશાળા ટેસ્ટ મેચ એક ઇનિંગ્સ અને 64 રને જીતી લીધી હતી. મેચના ત્રીજા દિવસે (9 માર્ચ) ઇંગ્લેન્ડ તેની બીજી ઇનિંગમાં 195 રનમાં સમેટાઇ ગયું હતું. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 4-1થી કબજે કરી લીધી છે. ઘરઆંગણે ભારતીય ટીમની આ સતત 17મી ટેસ્ટ શ્રેણી જીત હતી.

રોહિતે નિવૃત્તિને લઈને આપ્યું મોટું નિવેદન

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચ ખતમ થયા બાદ મોટું નિવેદન આપ્યું છે. રોહિતે કહ્યું કે, તે અત્યારે સારું ક્રિકેટ રમી રહ્યો છે. પરંતુ જ્યારે તેને ખબર પડશે કે તે સારું અનુભવી રહ્યો નથી ત્યારે તે નિવૃત્તિ લઈ લેશે. રોહિતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 44.44ની એવરેજથી 400 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટથી બે સદી અને એક અડધી સદી આવી.

આ પણ વાંચો: Team India Players: ધર્મશાળામાં જીત બાદ ભારતીય ખેલાડીઓની ચાંદી-ચાંદી, હવે થશે પૈસાનો વરસાદ

36 વર્ષીય રોહિત શર્માએ મેચ બાદ કહ્યું, 'એક દિવસ જ્યારે હું જાગીશ અને અનુભવીશ કે હું હવે સારો નથી, તો હું તરત જ નિવૃત્તિ લઈશ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હું મારા જીવનનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યો છું.

આ પણ વાંચો

ADVERTISEMENT

રોહિત કહે છે, 'જ્યારે તમે આ રીતે ટેસ્ટ જીતો છો, ત્યારે બધું જ યોગ્ય રહે છે. આ યુવા ખેલાડીઓમાં અનુભવનો અભાવ હોઈ શકે છે, પરંતુ તેઓ ઘણું ક્રિકેટ રમી ચૂક્યા છે. અહીં ઊભા રહીને હું જોઈ શકું છું કે આ લોકોએ દબાણમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આ જીતનો શ્રેય આખી ટીમને જાય છે. આ જોઈને આનંદ થયો.

રોહિતે કુલદીપ-યશસ્વીના વખાણ કર્યા

રોહિતે આગળ કહ્યું, 'જ્યારે તમે આવી શ્રેણી જીતો છો, ત્યારે તે રન અને સદીની વાત હોય છે. પરંતુ ટેસ્ટ જીતવા માટે 20 વિકેટ લેવી મહત્વપૂર્ણ છે. બોલરોએ જે રીતે જવાબદારી લીધી તે જોવાનું અદ્ભુત હતું. કુલદીપમાં ઘણી ક્ષમતા છે. જ્યારે પ્રથમ દાવમાં વસ્તુઓ સરળ હતી, ત્યારે તેણે ખૂબ જ સારી બોલિંગ કરી હતી. તે પોતાની ઈજામાંથી પાછો આવ્યો અને NCAમાં તેની ફિટનેસ પર કામ કર્યું. તે ઘણા પ્રયત્નો કરી રહ્યો છે, સૌથી આનંદદાયક બાબત તેની બેટિંગ છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: Elvish Yadav એ યુવકને માર્યો ઢોર માર, જાનથી મારી નાખવાની આપી ધમકી; FIR નોંધાઈ

યશસ્વીના વખાણ કરતા રોહિતે કહ્યું, 'યશસ્વીએ હજુ લાંબી મજલ કાપવાની છે. તેની પાસે શરૂઆતથી જ બોલરો પર દબાણ લાવવાની ક્ષમતા છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં અનેક પડકારો આવશે, પરંતુ તેને પડકારો ગમે છે. દેખીતી રીતે આ તેના માટે શાનદાર સિરીઝ રહી છે. તેને મોટા સ્કોર કરવાનું પસંદ છે.

ADVERTISEMENT

દ્રવિડે રોહિતની કેપ્ટનશિપને વખાણી

બીજી તરફ ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે પણ રોહિતના ખૂબ વખાણ કર્યા હતા. દ્રવિડે કહ્યું કે, રોહિતે સામેથી ટીમનું નેતૃત્વ કર્યું અને આ સિરીઝમાં ઘણી વખત ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. દ્રવિડે કહ્યું, 'રોહિત શર્મા આ સિરીઝમાં અસાધારણ હતો. રાજકોટમાં જ્યારે પ્રથમ કલાકમાં જ 3 વિકેટ પડી ત્યારે અમને એવા ખેલાડીની જરૂર હતી જે સદી મારી શકે. તેણે રાંચીમાં પણ શાનદાર બેટિંગ કરી હતી.
 

    follow whatsapp

    ADVERTISEMENT