ODI World Cup: ટીમ ઈન્ડિયાનો તગડો ઝટકો, ઈજાને કારણે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

વર્લ્ડ કપ 2023માં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. તેઓ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા હતા. તે મેચમાં પણ તેઓ માત્ર ત્રણ બોલ જ ફેંકી શક્યા હતા. આ પછી છેલ્લી ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયા તેમના વિના જ મેદાનમાં ઉતરી છે. મહત્વનું છે કે, હાર્દિક પંડ્યાને 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન લિગામેન્ટમાં ઈજા થઈ હતી.જે બાદ તેઓ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હતા.

ICCએ કરી પુષ્ટિ

ICCએ હાર્દિક પંડ્યાના વર્લ્ડ કપમાંથી બહાર થવાની પુષ્ટિ કરી છે. ભારતે હાલમાં લીગ રાઉન્ડમાં વધુ બે મેચ રમવાની છે. 5 નવેમ્બરે ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાવાની છે, જ્યારે 12 નવેમ્બરે ઈન્ડિયા નેધરલેન્ડ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે પણ ક્વોલિફાઈ થઈ ગઈ છે.

ADVERTISEMENT

પ્રસિદ્ધ કૃષ્ણાનો ટીમમાં સમાવેશ

ગયા મહિને પુણેમાં બાંગ્લાદેશ સામેની ભારતની વર્લ્ડ કપ મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે હાર્દિક પંડ્યાને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે 30 વર્ષીય ખેલાડી સમયસર સ્વસ્થ થવામાં નિષ્ફળ રહ્યા છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કરવામાં આવાયો છે. પ્રસિદ્ધ કૃષ્ણા પાસે વર્લ્ડ કપનો અનુભવ નથી અને તેઓને પ્રથમ વખત વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવાયો છે.

પ્રસિદ્ધ કૃષ્ણાએ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે કરી હતી બોલિંગ

પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારત માટે 19 મર્યાદિત ઓવરોની (ODI-T20) મેચ રમી છે અને તેઓ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીજમાં ટીમ ઈન્ડિયામાં સામેલ હતા. વર્લ્ડ કપ પહેલા પ્રસિદ્ધે ઓસ્ટ્રેલિયાની ત્રણ મેચની વનડે સિરીઝની ત્રીજી મેચમાં ડેવિડ વોર્નરની વિકેટ લીધી હતી. તેમણે પાંચ ઓવરમાં 45 રન આપીને એક વિકેટ લીધી હતી. તેમના નામે મર્યાદિત ઓવરોમાં 33 વિકેટ છે. ટુર્નામેન્ટ ટેકનિકલ કમિટીએ શનિવારે ભારતના રિપ્લેસમેન્ટને મંજૂરી આપી હતી, એટલે કે પ્રસિદ્ધ કૃષ્ણા દક્ષિણ આફ્રિકા સામેની મેચ રમશે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    રોહિત શર્માએ કોહલી-બુમરાહ કે હાર્દિક નહીં... પણ આ 3 દિગ્ગજોને આપ્યો T20 WC જીતનો શ્રેય

    રોહિત શર્માએ કોહલી-બુમરાહ કે હાર્દિક નહીં... પણ આ 3 દિગ્ગજોને આપ્યો T20 WC જીતનો શ્રેય

    RECOMMENDED
    IPL 2025: ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ સતત બે મેચમાં કરી તોફાની બેટિંગ, ફ્રેન્ચાઇઝની વધી મુશ્કેલી

    IPL 2025: ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ સતત બે મેચમાં કરી તોફાની બેટિંગ, ફ્રેન્ચાઇઝની વધી મુશ્કેલી

    RECOMMENDED
    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    MOST READ
    Janmashtami 2024: ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીએ ઠાકોરજીના દર્શન માટેનો સમય શું રહેશે?

    Janmashtami 2024: ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીએ ઠાકોરજીના દર્શન માટેનો સમય શું રહેશે?

    RECOMMENDED
    Andhra Pradesh ફાર્મા કંપનીના રિએક્ટરમાં વિસ્ફોટથી 7નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

    Andhra Pradesh ફાર્મા કંપનીના રિએક્ટરમાં વિસ્ફોટથી 7નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

    RECOMMENDED
    Reliance AGM: રિલાયન્સ જિયો-રિટેલનો IPO ક્યારે આવશે? મુકેશ અંબાણી આજે કરી શકે છે મોટી જાહેરાત

    Reliance AGM: રિલાયન્સ જિયો-રિટેલનો IPO ક્યારે આવશે? મુકેશ અંબાણી આજે કરી શકે છે મોટી જાહેરાત

    RECOMMENDED
    ધો.12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક,₹69,000 સુધીનો પગાર; જુઓ સંપૂર્ણ માહિતી

    ધો.12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક,₹69,000 સુધીનો પગાર; જુઓ સંપૂર્ણ માહિતી

    RECOMMENDED
    તહેવારો પર સસ્તી થશે કાર! સરકારના આ નિર્ણયથી તમે થઈ જશો ખુશ, જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ

    તહેવારો પર સસ્તી થશે કાર! સરકારના આ નિર્ણયથી તમે થઈ જશો ખુશ, જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ

    RECOMMENDED
    Junagadh: કાર અને રીક્ષા વચ્ચે ભયાનક ટક્કર, સોમનાથ દાદાના દર્શન કરીને આવતા 3 યુવકોના મોત

    Junagadh: કાર અને રીક્ષા વચ્ચે ભયાનક ટક્કર, સોમનાથ દાદાના દર્શન કરીને આવતા 3 યુવકોના મોત

    RECOMMENDED
    27 August Rashifal: જન્માષ્ટમી બાદ આ રાશિઓનું ભાગ્ય ચમકશે, વાંચો આજનું રાશિફળ

    27 August Rashifal: જન્માષ્ટમી બાદ આ રાશિઓનું ભાગ્ય ચમકશે, વાંચો આજનું રાશિફળ

    RECOMMENDED