Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રથમ ‘વનપાલ સ્મારક’નું કર્યું લોકાર્પણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના હસ્તે આજે ૧૧ સપ્ટેમ્બર ‘રાષ્ટ્રીય વન શહીદ’ દિવસ નિમિત્તે વન ચેતના કેન્દ્ર ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રથમ ‘વનપાલ સ્મારક’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વન અને વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન દરમિયાન શહીદ થયેલા ગુજરાતના આઠ જેટલા વન શહીદોને મુખ્યમંત્રી પટેલ અને વન મંત્રી મૂળુભાઈ બેરા સહિત મહાનુભાવોએ ભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરીને શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું.

પોતાનો જીવ આપી વન અને વન્યજીવોનું કર્યું સંરક્ષણ

કેન્દ્ર સરકાર દ્વારા વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના ફ્રન્ટલાઈન સ્ટાફ જેવા કે, વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય અધિકારીઓના માનમાં વર્ષ ૨૦૧૩થી દર વર્ષે ૧૧ સપ્ટેમ્બરને “રાષ્ટ્રીય વન શહીદ દિવસ” (National Forest Martyrs Day) તરીકે ઉજવવામાં આવે છે. વન વિભાગના ફ્રન્ટલાઇન સ્ટાફ પોતાના જીવની પરવા કર્યા વિના અવિરતપણે વન અને વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન કરે છે. તેઓ દવ, દબાણ, લાકડાની ચોરી, ગેરકાયદેસર કપાણ, વન્યજીવોના શિકાર રોકવા અને વન્યજીવ-માનવ ઘર્ષણ અટકાવવાની કામગીરી કરે છે અને આ દરમિયાન અમુક પ્રસંગોએ તેઓ પોતાના જીવનું બલિદાન આપી દેતા હોય છે.

આવા વીર વનકર્મીઓની સ્મૃતિ ચિરંજીવ રાખવા ગાંધીનગરના સેક્ટર-૩૦માં આવેલા વન ચેતના કેન્દ્ર ખાતે આ વનપાલ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશની વિરાસત પર ગર્વ કરવાનું જે પ્રણ છે તેને ગુજરાતમાં આ વનપાલ સ્મારક સાકાર કરશે. વન અને વન્યજીવોના સંરક્ષણ તથા સંવર્ધન માટે પોતાનું જીવન ન્યોછાવર કરનારા વન શહીદોના સાહસ, શૌર્ય અને બલિદાનની વિરાસતનું સ્મરણ ભાવિ પેઢીને પ્રેરણા આપતું રહે તેવો આ સ્મારક નિર્માણનો હેતુ છે. આવા સ્મારક વન શહીદોના સાહસ અને શૌર્યને બિરદાવે છે. વન અને વન્યજીવો માટેના તેઓના ત્યાગને જીવંત સ્વરૂપ આપે છે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બને છે. બાળકોથી લઇને તમામ નાગરિકોને આ સ્મારક વનો અને વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ બનવાની સાથે સાથે વન અને વન્યજીવોના રક્ષણ માટે પ્રતિબદ્ધ બનવાની પ્રેરણા આપશે.

ADVERTISEMENT

Russia Ukraine war: પુતિન અને કિમ જોંગ વચ્ચે થશે સીક્રેટ મીટિંગ! નોર્થ કોરિયાથી રુસ જવા રવાના થઈ સ્પેશ્યલ ટ્રેન

મુખ્યમંત્રીએ વનપાલ સ્મારક લોકાર્પણ વેળાએ ઉપસ્થિત વન શહીદોના પરિવારજનોને મળીને તેમના ખબર-અંતર પુછીને વન સંરક્ષણ માટે બલિદાન આપનાર તેમના સ્વજનના કાર્યને બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ પરિવારો સાથે સંવેદના સભર સંવાદ પણ કર્યો હતો અને પરિવારોની આર્થિક-સામાજિક પરિસ્થિતિની વિગતો જાણી હતી. ‘વનપાલ સ્મારક’ના આ લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય રીટા પટેલ, વન પર્યાવરણ વિભાગના અગ્રસચિવ સંજીવકુમાર તેમજ હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ચતુર્વેદી અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ શહીદોના પરિવારજનોએ પણ વન શહીદોને આદરાંજલિ આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવનાર કે કાળા જાદુ કરનારને 7 વર્ષ સુધીની સજા અને દંડ, વિધાનસભામાં બિલ રજૂ

    ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવનાર કે કાળા જાદુ કરનારને 7 વર્ષ સુધીની સજા અને દંડ, વિધાનસભામાં બિલ રજૂ

    RECOMMENDED
    Rajkotમાં પહેલીવાર રાઈડ્સ વગર લોકમેળાનો પ્રારંભ, નેતાઓ સહિત લોકોને મેળો ફિક્કો લાગ્યો

    Rajkotમાં પહેલીવાર રાઈડ્સ વગર લોકમેળાનો પ્રારંભ, નેતાઓ સહિત લોકોને મેળો ફિક્કો લાગ્યો

    RECOMMENDED
    Janmashtami 2024: ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીએ ઠાકોરજીના દર્શન માટેનો સમય શું રહેશે?

    Janmashtami 2024: ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીએ ઠાકોરજીના દર્શન માટેનો સમય શું રહેશે?

    RECOMMENDED
    Vodafone-Idea ના યુઝર્સ માટે નવી મુસીબત, શું Jio અને Airtel પણ આપશે આવો ઝટકો?

    Vodafone-Idea ના યુઝર્સ માટે નવી મુસીબત, શું Jio અને Airtel પણ આપશે આવો ઝટકો?

    MOST READ
    IPL 2025 સીઝન પહેલા આશીષ નહેરા Gujarat Titansથી અલગ થઈ જશે? સામે આવી મોટી અપડેટ

    IPL 2025 સીઝન પહેલા આશીષ નહેરા Gujarat Titansથી અલગ થઈ જશે? સામે આવી મોટી અપડેટ

    RECOMMENDED
    Exclusive: નરાધમ સંજય રોયના પોલીગ્રાફ ટેસ્ટમાં થયો મોટો ખુલાસો, કેસમાં આવ્યો નવો વણાંક!

    Exclusive: નરાધમ સંજય રોયના પોલીગ્રાફ ટેસ્ટમાં થયો મોટો ખુલાસો, કેસમાં આવ્યો નવો વણાંક!

    RECOMMENDED
    ઝારખંડના રાજકારણના સૌથી મોટા સમાચાર, બળવાખોરી બાદ ચંપઈ સોરેને કર્યું ચોંકાવનારું એલાન

    ઝારખંડના રાજકારણના સૌથી મોટા સમાચાર, બળવાખોરી બાદ ચંપઈ સોરેને કર્યું ચોંકાવનારું એલાન

    RECOMMENDED
    Video: નબીરાઓનો પોલીસને પડકાર, આખો એસ.જી.  હાઇવે રિલ બનાવવા બાનમાં લીધો

    Video: નબીરાઓનો પોલીસને પડકાર, આખો એસ.જી. હાઇવે રિલ બનાવવા બાનમાં લીધો

    RECOMMENDED
    અનંત અંબાણીની જાનમાં Hardik Pandya એ કરી ખાસ ડિમાન્ડ, અનન્યા પાંડે સાથે કર્યો જોરદાર ડાંસ

    અનંત અંબાણીની જાનમાં Hardik Pandya એ કરી ખાસ ડિમાન્ડ, અનન્યા પાંડે સાથે કર્યો જોરદાર ડાંસ

    MOST READ
    ચિંતાજનક! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 14ના મોત, રાજ્યના આ જિલ્લાઓમાં શંકાસ્પદ કેસ

    ચિંતાજનક! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 14ના મોત, રાજ્યના આ જિલ્લાઓમાં શંકાસ્પદ કેસ

    MOST READ