કેનેડા પર આખુ વિશ્વ થુંથું કરી રહ્યું છે, સ્પીકરે માંગવી પડી માફી, નાઝીઓને કેમ નફરત કરે છે દુનિયા

ADVERTISEMENT

Canada's Speaker apologized
Canada's Speaker apologized
social share
google news

નવી દિલ્હી : કેનેડિયન સંસદમાં પૂર્વ નાઝી સૈનિકના સન્માન અંગે હોબાળો થઇ ગયો છે. ત્યાર બાદ કેનેડાના સ્પીકરને પણ માફી માંગવી પડી છે. નાઝી સૈનિકોએ એવું તે શું કર્યું હતું? જેના કારણે સમગ્ર વિશ્વ તેનાથી ચિઢાય છે.

અનેકોને ગેસ ચેમ્બરમાં ઠુસી દેવામાં આવ્યા… અનેકને ગોળીએ વિંધી નાખવામાં આવ્યા… અનેકને ત્યા સુધી ભુખ્યા રાખવામાં આવ્યા જ્યાં સુધી તેઓ મરી ન જાય…

આ બધુ ત્યારે થયું જ્યારે જર્મનીમાં એડોલ્ફ હિટલરનું શાસન હતું. આમ તો જર્મનીમાં હિટલરનું શાન 13 વર્ષ જ રહ્યું, પરંતુ આ વર્ષોમાં તેની નાજી સેનાએ ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી. નાઝી સૈનિકો એટલા ક્રુર હતા કે તેમાં માણસાઇ બચી જ નહોતી. કદાચ આ જ કારણ હતું કે આટલા વર્ષો પસાર થઇ જવા છતા સમગ્ર વિશ્વમાં કોઇ નાઝીઓને પસંદ નથી કરતું.

ADVERTISEMENT

નાઝીઓ સામે વિશ્વ કઇ હદે ચીડાય છે, તેનો અંદાજ તેના પરથી લગાવવામાં આવી શકે છે કે કેનેડાના સાંસદોમાં પૂર્વ નાઝી સૈનિકનું સન્માન કરવા અંગે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ચોતરફી ઘેરાઇ ગયા હતા. અત્રે નોધનીય છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર જેલેન્સકી કેનેડાની સંસદમાં ગયા હતા. તેમની સાથે 98 વર્ષના યારોસ્લાવ હુન્કા પણ હતા. હુન્કા નાઝી સૈનિક રહી ચુક્યા છે. કેનેડાના સાંસદોએ બે વાર હુન્કાને સ્ટેન્ડિંગ ઓવેશન આપીને સન્માનિત કર્યા. તે અંગે હોબાળો થઇ ગયો. ત્યાર બાદ સંસદમાં સ્પીકરે પણ માફી માંગવી પડી હતી.

નાઝી એટલે શું?

1914 થી 1918 સુધી પ્રથમ વિશ્વ યુદ્ધ થયું. તેમાં જર્મની અને ઓસ્ટ્રિયા-હંગરીએ મળીને ફ્રાંસ, રશિયા, બ્રિટન, અમેરિકા અને તેના સહયોગીઓ સાથે લડાઇ લડી. તેમાં જર્મની હારી ગયું.

ADVERTISEMENT

યુદ્ધના કારણે જર્મનીની અર્થવ્યવસ્થા તબાહ થઇ ચુકી હતી. 1920 માં નેશનલ સોશિયલિસ્ટ પાર્ટીની સ્થાપતા થઇ. તેને નાજી પાર્ટી પણ કહેવામાં આવતું હતું. 1921 માં નાજી પાર્ટીની કમાન હિટલરના હાથમાં આવી ગઇ.

ADVERTISEMENT

નાઝી પાર્ટીનું માનવું હતું કે, એક સાચો જર્મન, એક આર્ય હતો. એક શુદ્ધ લોહી ધરાવતો જર્મ, જેના ગોલ્ડન વાળ અને લીલી આંખ હોય. નાઝીઓનું માનવું હતું કે, જર્મનીમાં માત્ર આર્ય જ રહી શકે છે. બીજા લોકો ખાસ કરીને યહૂદીઓને હીન માનતા હતા.

હિટલરની નાઝી પાર્ટીનું માનવું હતું કે, જો તેઓ જર્મનીથી તમામ યહૂદીઓને નષ્ટ કરી દેશે. તો તેને ફરીથી ગૌર પ્રાપ્ત થઇ જશે. જર્મની થી યહૂદીઓને મિટાવવાની નાઝીની યોજનાનો અંતિમ ઉકેલ કહેવામાં આવ્યું.ત્યાર બાદ તેને પ્રલય અથવા હોલોકોસ્ટ કહેવામાં આવ્યું.

ત્યાર બાદ જે થયું જે ક્યારેય ન થવું જોઇતું

1933 માં હિટલ જર્મનીનો ચાસેલર બન્યો. તેના થોડા મહિના બાદ જ હિટલરે યહૂદીઓના બિઝનેસના બહિષ્કારની જાહેરાત કરી દીધી. યહૂદીઓ પર તમામ પ્રકારના પ્રતિબંધો લગાવી દેવામાં આવી. ત્યાર બાદથી જર્મનીથી યહૂદીઓને ખદેડવામાં આવવા લાગ્યા. જર્મનીના શહેરમાં યાતના શિબિર બનાવવામાં આવી. અહીં યહૂદીઓને ગુલામોની જેમ રાખવામાં આવતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ જે જે દેશો પર કબ્જો કર્યો ત્યાં ત્યાં યાતના શિબિર બનાવી દીધી. શિબિરોમાં પહોંચ્યા બાદ નાના બાળકો, બીમારો અને વૃદ્ધોને ગેસ ચેમ્બરમાં નાખીને મારી નાખવામાં આવતા હતા. કારણ કે નાઝી સૈનિકોને માત્ર હટ્ટા-કટ્ટા યહૂદીઓની જરૂર હતી, જેનાથી કામ કરાવી શકાય.

યાતના શિબિરમાં યહૂદીઓની સાથે સાથે જાનવરો જેવું વર્તન કરવામાં આવતું હતું. તેમને ભોજનના નામે એક ડબલરોડી અને પાણી જેવો પતળો સુપ મળતો હતો. આ શિબિરોમાંથી ભાગવું લગભગ અશક્ય હતું. જો ભાગતા ઝડપાયા તો સીધી જ ગોળી મારીદેવામાં આવતી હતી. જર્મનીના ઓશ્વિટોઝમાં સૌથી મોટી યાતના શિબિર હતી. અહીંની સ્થિતિ એટલી ખરાબ હતી કે એક-એક દિવસમાં સેંકડો લોકોના મોત થઇ જતા હતા. અનેક લોકોના મોત કુપોષણ, ભુખમરી, ગોળીબારી, મારા-મારી અને બીમારીના કારણે થતી હતી. અહીં એક એવી ગેસ ચેમ્બર બનાવાઇ હતી. જ્યાં ઝેરી ગેસથી એક પછી એક સેંકડો લોકોને મારવામાં આવી શકતા હતા. લાશોને સળગાવવા માટે નજીકમાં જ ભઠ્ઠીઓ બનાવાઇ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT