નાના ભાઈનું મોત-બહેન વેન્ટિલેટર પર, 'તારક મહેતા' ફેમ જેનિફર પાસે નથી કોઈ કામ, જીવવું મુશ્કેલ

ADVERTISEMENT

Jennifer Mistry
Jennifer Mistry
social share
google news

Tarak Mehta Ka Oolta Chashma: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન કૌર સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેની નાની બહેન વેન્ટિલેટર પર જીવન-મરણની લડાઈ લડી રહી છે. આવી સ્થિતિમાં, તેને તેની બહેનની સંભાળ લેવા માટે તેના ઘરે જવું પડ્યું. આ સમયે તેની પાસે કોઈ કામ પણ નથી. આવો જાણીએ આ વિશે અભિનેત્રીનું શું કહેવું છે.

આ પણ વાંચો: જબરા ફેન: DHONI ને જોવા માટે ત્રણ દીકરીઓની સ્કૂલ ફી ન ભરી, IPL ની ટિકિટ માટે ખર્ચ્યા રૂ.64 હજાર!

'તારક મહેતા'ની જેનિફર મુશ્કેલીમાં

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, 'તારક મહેતા' ફેમ જેનિફર પોતાના અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. અભિનેત્રીએ કહ્યું- મારી નાની બહેનની હાલત ગંભીર છે. તેથી જ હું મારા વતન આવી છું. તે વેન્ટિલેટર પર છે અને આ સમયે તેને મારી સૌથી વધુ જરૂર છે. તેની હાલત એકદમ નાજુક છે. તે જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. આવી સ્થિતિમાં મારે તેની સાથે રહેવું પડશે.

છેલ્લું દોઢ વર્ષ પીડામાં

અભિનેત્રીએ જણાવ્યું કે, તે છેલ્લા દોઢ વર્ષથી મુશ્કેલ જીવન જીવી રહી છે. મારા નાના ભાઈના અવસાન પછી હું મારા મામાની સાત છોકરીઓની સંભાળ રાખું છું. એવામાં અસિત મોદીવાળો મામલો બન્યો હતો. મારા માટે બધી વસ્તુઓ એકસાથે મેનેજ કરવી ખૂબ મુશ્કેલ હતી. તેથી છેલ્લા કેટલાક મહિના મારા માટે મુશ્કેલીભર્યા રહ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: IPL મેચમાં DRSને લઈને વિવાદ, અમ્પાયર સાથે મેદાન પર બાખડી પડ્યો Rishabh Pant

સીરિયલ છોડ્યા બાદ નથી મળી રહ્યું કામ

જેનિફરે એ પણ જણાવ્યું કે 'તારક મહેતા' છોડ્યા બાદ તેને અત્યાર સુધી કોઈ રોલ ઓફર કરવામાં આવ્યો નથી. પરંતુ એક પ્રોડક્શન હાઉસ છે, જે મારા જેવા પાત્રની શોધમાં છે. કદાચ તે લોકો શો માટે તેનો સંપર્ક કરશે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જેનિફરે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ જીત્યો હતો. કોર્ટે અસિત મોદીને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કહ્યું છે, પરંતુ હજુ સુધી તેને વળતરની રકમ મળી નથી.

અભિનેત્રીએ કહ્યું- મને 5 લાખ રૂપિયાના વળતર માટે 17 એપ્રિલ સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય તેણે અસિત મોદી પાસેથી તેની બાકી રકમ પણ વસૂલવાની છે, જે અંદાજે 25 લાખ રૂપિયા છે. આશા છે કે, જેનિફરની તમામ સમસ્યાઓ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT