BJP નેતાએ મણિપુરની ઘટના માટે CM બીરેન સિંહને ગણાવ્યા જવાબદાર, પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news

બિહાર: બિહાર ભાજપના પ્રવક્તા વિનોદ શર્માએ મણિપુરમાં હિંસા અને મહિલાઓ સાથે બર્બરતાની ઘટનાને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપના નેતાએ તેમના રાજીનામા પાછળ મણિપુરની હિંસાને કારણ ગણાવ્યું છે. વિનોદ શર્માએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર મોકલ્યો છે. આ રાજીનામા બાદ જેડીયુએ કટાક્ષ કરતા કહ્યું કે હવે ભાજપના નેતાઓ પણ તેમની સરકારથી શરમ અનુભવી રહ્યા છે.

રાજીનામાને લઈને પટનામાં એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે મણિપુરમાં છોકરીઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરાવામાં આવી, જેના કારણે ભારત આખી દુનિયામાં કલંકિત અનુભવી રહ્યું છે. આ માટે મણિપુરમાં ભાજપના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ જવાબદાર છે. તેમનો બચાવ કરનારા પીએમ નરેન્દ્ર મોદી પણ એટલા જ જવાબદાર છે. વિનોદ શર્માનું કહેવું છે કે આ ઘટના પર તેમને આત્મગ્લાનિ થઈ અને પોતે કલંક અનુભવી રહ્યા છે, તેથી તેઓ ભાજપ અને પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે.

ADVERTISEMENT

રાજીનામા પત્રમાં શું લખ્યું હતું?
ભાજપ પ્રવક્તા અને મીડિયા પેનલિસ્ટ વિનોદ શર્માએ લખ્યું કે 80 દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હું રાષ્ટ્રપ્રેમ, બેટી બચાઓ અને ભારતીય સનાતન સંસ્કૃતિને બચાવવાનો ઢોંગ કરનારી ભાજપમાં કાર્ય કરીને કલંકિત અનુભવી રહ્યો છું. જો વડાપ્રધાન મોદીમાં થોડીક પણ માનવતા હોત તો તેઓ તાત્કાલિક મુખ્યમંત્રી બિરેન સિંહને હટાવી દેત અથવા તો પોતે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેત. તેથી, આપને વિનંતી છે કે મારું રાજીનામું તાત્કાલિક સ્વીકારો.

ADVERTISEMENT

વિનોદ શર્માનું આગળનું પગલું શું હશે?
વિનોદ શર્માએ ભાજપ છોડી દીધું છે પરંતુ તેમણે હાલના તબક્કે આગળના પગલા વિશે કંઈ જણાવ્યું નથી. તે કઈ પાર્ટી સાથે જશે તેની રાહ જોવી પડશે. જણાવી દઈએ કે વિનોદ શર્મા બિહાર બીજેપીના મુખ્ય પેનલના સભ્યોમાંથી એક હતા. તેઓ વાદવિવાદમાં અવાજ ઉઠાવીને પક્ષનો બચાવ કરતા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    મહિલાઓ વિરુદ્ધ અપરાધ અક્ષમ્ય પાપ, દોષી કોઈપણ હોય બચવા ન જોઈએ- PM મોદી

    મહિલાઓ વિરુદ્ધ અપરાધ અક્ષમ્ય પાપ, દોષી કોઈપણ હોય બચવા ન જોઈએ- PM મોદી

    RECOMMENDED
    રાહુલ ગાંધી પર કંગના રનૌતે કરી નાખી એવી વાત કે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસ નેતાએ કહ્યું- તાત્કાલિક માફી માંગો

    રાહુલ ગાંધી પર કંગના રનૌતે કરી નાખી એવી વાત કે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસ નેતાએ કહ્યું- તાત્કાલિક માફી માંગો

    RECOMMENDED
     500 માર્ક્સની પરીક્ષામાં વિદ્યાર્થીને આપી દીધા 955 માર્ક્સ, જાણીતી યુનિવર્સિટીમાં 'મોટો ખેલ'

    500 માર્ક્સની પરીક્ષામાં વિદ્યાર્થીને આપી દીધા 955 માર્ક્સ, જાણીતી યુનિવર્સિટીમાં 'મોટો ખેલ'

    RECOMMENDED
    સરકારી કર્મચારીઓને શ્રાવણ ફળશે! DA વધવાથી આટલો વધીને આવશે પગાર

    સરકારી કર્મચારીઓને શ્રાવણ ફળશે! DA વધવાથી આટલો વધીને આવશે પગાર

    RECOMMENDED
    IPLના સ્ટાર ખેલાડી સાથે મેદાન પર બની મોટી દુર્ઘટના, ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરાયો

    IPLના સ્ટાર ખેલાડી સાથે મેદાન પર બની મોટી દુર્ઘટના, ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરાયો

    RECOMMENDED
    VIDEO : રાહુલ ગાંધીનો 'બ્રૂસલી અવતાર', સ્પોર્ટ્સ ડે પર માર્શલ આર્ટમાં વિરોધીને હરાવ્યો

    VIDEO : રાહુલ ગાંધીનો 'બ્રૂસલી અવતાર', સ્પોર્ટ્સ ડે પર માર્શલ આર્ટમાં વિરોધીને હરાવ્યો

    RECOMMENDED
    IPL 2025: ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ સતત બે મેચમાં કરી તોફાની બેટિંગ, ફ્રેન્ચાઇઝની વધી મુશ્કેલી

    IPL 2025: ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ સતત બે મેચમાં કરી તોફાની બેટિંગ, ફ્રેન્ચાઇઝની વધી મુશ્કેલી

    RECOMMENDED
    જન્માષ્ટમીની રાત્રે ધન લાભ માટે જરૂર કરો આ 4 અચૂક ઉપાય, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

    જન્માષ્ટમીની રાત્રે ધન લાભ માટે જરૂર કરો આ 4 અચૂક ઉપાય, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

    RECOMMENDED
    Janmashtami 2024: ગજકેસરી યોગમાં ઉજવાશે જન્માષ્ટમી, આ શુભ મુહૂર્તમાં થશે શ્રી કૃષ્ણની પૂજા

    Janmashtami 2024: ગજકેસરી યોગમાં ઉજવાશે જન્માષ્ટમી, આ શુભ મુહૂર્તમાં થશે શ્રી કૃષ્ણની પૂજા

    RECOMMENDED
    Video: નબીરાઓનો પોલીસને પડકાર, આખો એસ.જી.  હાઇવે રિલ બનાવવા બાનમાં લીધો

    Video: નબીરાઓનો પોલીસને પડકાર, આખો એસ.જી. હાઇવે રિલ બનાવવા બાનમાં લીધો

    RECOMMENDED