15મી ઓગસ્ટે ગુજરાતના કયા મંત્રી કઈ જગ્યાએ કરશે ધ્વજવંદન, જુઓ આખું લિસ્ટ
Independence Day 2024: ભારતના સ્વાતંત્ર્ય પર્વ-15મી ઓગસ્ટ-2024ની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે કરવામાં આવનાર છે. 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને નડિયાદ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે.
ADVERTISEMENT

Independence Day 2024: ભારતના સ્વાતંત્ર્ય પર્વ-15મી ઓગસ્ટ-2024ની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે કરવામાં આવનાર છે. 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને નડિયાદ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.
રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ ક્યા મહાનુભાવ ક્યાં ધ્વજવંદન કરાવશે
કેબિનેટ મંત્રીઓ
- કનુભાઈ દેસાઈ - સુરત
- ઋષિકેશભાઈ પટેલ - મહેસાણા
- રાઘવજીભાઈ પટેલ - જૂનાગઢ
- બલવંતસિંહ રાજપૂત - કચ્છ
- કુંવરજીભાઈ બાવળીયા - અમરેલી
- મુળુભાઈ બેરા - બોટાદ
- ડૉ. કુબેરભાઈ ડિંડોર - સાબરકાંઠા
- ભાનુબહેન બાબરિયા - ગીર સોમનાથ
નાયબ અધ્યક્ષ (વિધાનસભા)
- જેઠાભાઈ આહીર (ભરવાડ) - પંચમહાલ
ADVERTISEMENT
રાજ્યમંત્રીઓ
- હર્ષ સંઘવી - વડોદરા
- જગદીશ વિશ્વકર્મા - વલસાડ
- પરષોત્તમભાઈ સોલંકી - ભાવનગર
- બચુભાઈ ખાબડ - દાહોદ
- મુકેશભાઈ પટેલ - તાપી
- પ્રફુલભાઈ પાનશેરિયા - ડાંગ
- ભીખૂસિંહજી પરમાર - દેવભૂમિ દ્વારકા
- કુંવરજીભાઈ હળપતિ - નવસારી
અહીં કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાશે સમારોહ
આ ઉપરાંત આણંદ, પોરબંદર, છોટાઉદેપુર, અરવલ્લી, પાટણ, રાજકોટ, જામનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહીસાગર, ગાંધીનગર, નર્મદા અને ભરૂચ ખાતે સંબંધિત જિલ્લામાં કલેકટરના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT