વડગામમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ, ખંભાતમાં આખી કાર તણાઈ ગઈ, ગુજરાતમાં વરસાદથી ક્યાં કેવા હાલ?

ADVERTISEMENT

Gujarat Rain
Gujarat Rain
social share
google news

Gujarat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આજે પણ અનેક તાલુકાઓમાં વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના પગલે રાજ્યના નદી-નાળા છલકાઈ ગયા હતા. અમરેલીમાં ખોડિયાર ડેમ ફરી વાર ઓવરફ્લો થતા બે દરવાજા ખોલવા પડ્યા હતા. જ્યારે દહેગામમાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. 

સવારે 6થી સાંજના 6 સુધીમાં ક્યાં કેવો વરસાદ?

ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના સમયમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં બનાસકાંઠાના વડગામમાં 4.41 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં બપોરે 2થી 4 વાગ્યાના સમયગાળામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ બાદ ખેડાના નડિયાદમાં પણ 4 ઈંચ, અમરેલીના બગસરામાં 4 ઈંચ, ખેડાના મહુધામાં પોણા ચાર ઈંચ, દહેગામમાં 3.50 ઈંચ, અમીરગઢમાં 3.35 ઈંચ, મેઘરજમાં 3.31 ઈંચ, સાગબારામાં 3 ઈંચ, હિંમતનગરમાં 2.83 ઈંચ, કડાણામાં 2.76 ઈંચ, કલોલમાં 2.64 ઈંચ વરસાદ નોંધાયો હતો.

બોટાદમાં મેઘરાજાની જોરદાર બેટિંગ

બોટાદના ગઢડા તાલુકાના ઢસાગામે મેઘો મુશળધાર. સાંજના સમયે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. ગાજવીજ અને હરૂડાટ વીજળી સાથે વરસાદથી ઢસાગામના રોડ રસ્તાઓ પાણી-પાણી થયા હતા. ભારે વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તો રાણપુર તાલુકાના ગ્રામ વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. રાણપુર તાલુકાના માલણપુર, બોડીયા, નાગનેશ, દેવળીયા, કિનારા, બરાનીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદ પડવાને કારણે ખેતરો પાણી પાણી થઈ ગયા હતા. લાંબા સમય બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

ADVERTISEMENT

હિંમતનગરમાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા

સાબરકાંઠામાં વરસાદથી હિંમતનગર શહેર સહિત નેશનલ હાઇવે નંબર 8 પર પાણી ભરાયા હતી. હાઈવે પર 1 ફૂટ જેટલું પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. 

ખંભાતમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ

બીજી તરફ આણંદના ખંભાત શહેરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. મુસળધાર વરસાદથી બફારા વચ્ચે ઠંકપ પ્રસરી હતી. ખંભાતમાં 1 કલાકમાં બે ઈંચ વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સરદાર ટાવર પાસે રોડ પર ઊભેલી કાર વરસાદના પાણીમાં તણાવા લાગી હતી, જેનો વીડિયો સામે આવ્યો છે.

ADVERTISEMENT

અંબાજીમાં પોલીસ સ્ટેશન પાસે પાણી ભરાયા

બનાસકાંઠાના અંબાજીમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે પોલીસ સ્ટેશન પાસે ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. વરસાદને પગલે વાહન ચાલકોને પણ ભારે હેરાનીનો સામનો કરવો પડ્યો હતો. 

ADVERTISEMENT

દાહોદમાં પાનમ નદીમાં 6 લોકોનું રેસ્ક્યુ કરાયું 

દાહોદના ધાનપુરના કંજેટાની પાનમ નદીમાં 6 જેટલા લોકો ફાસયા હતા. ધાનપુર પોલીસ અને રેસ્ક્યૂ ટીમે તમામને બચાવીને બહાર કાઢ્યા હતા.

 

    follow whatsapp

    ADVERTISEMENT

    દ્વારકાના હાલ બેહાલ: શહેરના રસ્તાઓ જળમગ્ન, દુકાનો-મકાનોમાં ભરાયા પાણી; સ્થાનિકો મુશ્કેલીમાં

    દ્વારકાના હાલ બેહાલ: શહેરના રસ્તાઓ જળમગ્ન, દુકાનો-મકાનોમાં ભરાયા પાણી; સ્થાનિકો મુશ્કેલીમાં

    RECOMMENDED
    VIDEO : 'અસલી મગરો માર્કેટમાં બેઠા છે...જે વડોદરાને ખાઈ ગયા...', પુરના પાણીથી ત્રાહિમામ થયેલા નાગરિકનો બળાપો

    VIDEO : 'અસલી મગરો માર્કેટમાં બેઠા છે...જે વડોદરાને ખાઈ ગયા...', પુરના પાણીથી ત્રાહિમામ થયેલા નાગરિકનો બળાપો

    RECOMMENDED
     FASTag Rules માં મોટો ફેરફાર, ટોલ ટેક્સ પર નહીં લાગે લાંબી લાઈનો; RBIએ લીધો મોટો નિર્ણય

    FASTag Rules માં મોટો ફેરફાર, ટોલ ટેક્સ પર નહીં લાગે લાંબી લાઈનો; RBIએ લીધો મોટો નિર્ણય

    RECOMMENDED
    આ રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોને મળશે 50 હજાર રૂપિયાનું પેન્શન, જાણો પહેલા કેટલું મળતું

    આ રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોને મળશે 50 હજાર રૂપિયાનું પેન્શન, જાણો પહેલા કેટલું મળતું

    RECOMMENDED
    સપ્ટેમ્બર મહિનો પ્રેમ કરનારા લોકો માટે કેવો રહેશે? વાંચો લવ માસિક રાશિફળ

    સપ્ટેમ્બર મહિનો પ્રેમ કરનારા લોકો માટે કેવો રહેશે? વાંચો લવ માસિક રાશિફળ

    RECOMMENDED
    ગુજરાત માટે હજુ બે દિવસ 'ભારે', ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે; જાણો લેટેસ્ટ આગાહી

    ગુજરાત માટે હજુ બે દિવસ 'ભારે', ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે; જાણો લેટેસ્ટ આગાહી

    RECOMMENDED
    ચિંતાજનક! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 14ના મોત, રાજ્યના આ જિલ્લાઓમાં શંકાસ્પદ કેસ

    ચિંતાજનક! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 14ના મોત, રાજ્યના આ જિલ્લાઓમાં શંકાસ્પદ કેસ

    MOST READ
    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    MOST READ
    Jamnagar: કમર સુધી પાણીમાં ઘેડ પંથક ગરકાવ, MLA રિવાબા જાડેજા રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા

    Jamnagar: કમર સુધી પાણીમાં ઘેડ પંથક ગરકાવ, MLA રિવાબા જાડેજા રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા

    RECOMMENDED
    VIDEO: Rajkot માં રામનાથ મહાદેવને આજીનો જળાભિષેક, પાણીના પ્રવાહમાં મંદિર જળમગ્ન થયું

    VIDEO: Rajkot માં રામનાથ મહાદેવને આજીનો જળાભિષેક, પાણીના પ્રવાહમાં મંદિર જળમગ્ન થયું

    RECOMMENDED