ગુજરાતનું એવું મંદિર જ્યાં માનતા પૂરી થતા લોકો શ્રીફળ નહીં પરંતુ પાણીની બોટલ-પાઉચ ચઢાવે છે
વિપિન પ્રજાપતિ/પાટણ: ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે આ મંદિર પોતાની અલગ અલગ માન્યતા અને ખાસિયતોના કારણે જાણીતા છે. સામાન્ય રીતે કોઈપણ મંદિરે ભગવાનને પ્રસાદમાં કે…
ADVERTISEMENT

વિપિન પ્રજાપતિ/પાટણ: ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે આ મંદિર પોતાની અલગ અલગ માન્યતા અને ખાસિયતોના કારણે જાણીતા છે. સામાન્ય રીતે કોઈપણ મંદિરે ભગવાનને પ્રસાદમાં કે માનતા પુરી થયા બાદ મિઠાઈ, પેંડા, લાડુ જેવી વસ્તુઓ ચઢે છે. પરંતુ ગુજરાતમાં જ એક એવું મંદિર આવેલું છે જ્યાં માનતા પુરી થયા બાદ ભક્તો પાણીની બોટલો અને પાઉચ ચઢાવે છે. જાણીને નવાઈ લાગશે પરંતુ આ મંદિર આવેલું છે. મોઢેરાથી ચાણસ્મા જતા રોડની નજીક એક નાનકડી દેરી આવેલી છે આ હાઈવે પરથી પસાર થતા લોકોને આ દેરી પાસે પાણીના પાઉચ અને બોટલોનો ઢગલો થયેલો હંમેશા જોવા મળે છે. કારણ કે અહીં લોકો આ વસ્તુઓ ભેટ તરીકે ચઢાવે છે. રાજ્યમાં આવેલું આ એક માત્ર મંદિર છે જ્યાં પાણી ચઢાવવાથી લોકોની માનતાઓ પુરી થાય છે. ત્યારે પ્રશ્ન પણ ચોક્કસથી થાય કે આખરે આવું શા માટે કરવામાં આવે છે અને અહીંયા કયુ દેવસ્થાન આવેલું છે?
કેમ લોકો પ્રસાદરૂપે પાણી ચડાવે છે
વાત એમ છે કે, 21 મે, 2013 ના રોજ સવારે 9 વાગ્યા આસપાસ અહીં એક રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનોમાં સવાર 8 લોકોમાંથી 6 ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ 6 લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે આ બાળકો સતત પાણી પાણીની બૂમો પાડી રહ્યા હતા. આ રીતે બૂમો પાડતા પાડતા અને પાણી પીધા વિના આ બાળકોએ આ જગ્યાએ અંતિમ શ્વાસ લીધા હતા.
ADVERTISEMENT
પાણી ચઢાવવાની માનતા રાખવાથી ધાર્યા કામ થાય છે
ત્યારથી સ્થાનિક લોકો બાળકોને દેવ ગણી પૂજા અર્ચના કરે છે અને જ્યાં તેમનો જીવ ગયો તે જગ્યાએ એક નાનકડી દેરી બનાવી. હવે અહીં લોકો પાણી ચઢાવવાની માનતા રાખે છે. ત્યારથી જ આ પ્રથા શરુ થઈ અને અહીં લોકો પાણી ચઢાવવાની માનતા રાખવા લાગ્યા.સ્થાનિકોની માનવું છે કે, અહીં પાણી ચઢાવવાની માનતા રાખવાથી તેમના ધાર્યા કામ પુરા થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
માનતા રાખ્યા બાદ આસપાસના ગામોમાં બોરના પાણી મીઠા થઈ ગયા
ઘણા લોકોએ તો રોગથી મુક્તિ માટે અહીં માનતા રાખી હતી, જે પુરી થતા તેઓ પણ દૂર દૂરથી અહીં પાણી ચઢાવવા આવે છે. એટલું જ નહીં આ જગ્યાની આસપાસના ગામોમાં બોરના પાણી પહેલા ખારા નીકળતા હતા પરંતુ આ મંદિરની બાધા રાખ્યા બાદ બોરના પાણી મીઠા નીકળે છે. જે બોરમાંથી મીઠું પાણી નીકળે તે પણ અહીં સૌથી પહેલા પાણી ચઢાવે છે.
ADVERTISEMENT