મોદીની ડિગ્રી બતાવવાના આદેશને ગુજરાત HCએ ફગાવ્યો, કેજરીવાલને દંડ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમએની ડિગ્રી રજૂ કરવામાં આવે તેવા કેન્દ્રીય માહિતી વિભાગના આદેશને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધો છે. આ ઉપરાંત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. કોર્ટે કહ્યું કે વડાપ્રધાન ઓફીસને નરેન્દ્ર મોદીની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી બતાવવાની જરૂર નથી. હાઈકોર્ટના જસ્ટિસ વીરેન વૈષ્ણવની બેચે કેન્દ્રીય માહિતી વિભાગનો તે આદેશ ખારીજ કરી દીધો છે, જેમાં પીએમઓના માહિતી અધિકારી ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી તથા દિલ્હી યુનિવર્સિટીને આદેશ કરવામાં આવ્યો હતો કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી બતાવે.

કેજરીવાલને લાગી ફટકાર, થયો દંડ
આ સાથે કોર્ટે ડિગ્રી બતાવવાની માંગ કરનાર અરવિંદ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેન્દ્રીય માહિતી આયોગના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના પર આ નિર્ણય આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર, તેમણે 1978માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ 1983માં દિલ્હી યુનિવર્સિટીમાંથી પીજી કર્યું હતું. ગયા મહિને આ મામલાની સુનાવણી દરમિયાન યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આ મામલામાં છુપાવવા જેવું કંઈ નથી. પરંતુ યુનિવર્સિટીને માહિતી આપવા દબાણ કરી શકાય નહીં.

સુરતમાં રખડતા શ્વાને ઘર બહાર રમતી બાળકી પર હુમલો કર્યો, મેયરે કહ્યું- શ્વાનમાં ડાયાબિટીસ વધી ગયો છે!

ગોપનીયતા પ્રભાવિત થાય છેઃ એસજી
સુનાવણી દરમિયાન એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, કાયદાકીય બાબતોને આવરી લેતી વેબસાઈટ બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર, લોકશાહીમાં કોઈ ફરક નથી પડતો કે પોસ્ટ પર બેઠેલી વ્યક્તિ ડોક્ટરેટ છે કે અશિક્ષિત છે. આ સિવાય આ બાબતમાં જનહિતને લગતું કંઈ નથી. તેનાથી સંબંધિત વ્યક્તિની ગોપનીયતા પણ પ્રભાવિત થાય છે. તુષાર મહેતાએ કહ્યું કે માંગવામાં આવેલી માહિતી એવી નથી કે પીએમને જાહેર વ્યક્તિ તરીકે જાહેર કરવાની જરૂર હોય.

આ પણ વાંચો

ADVERTISEMENT

Morbi: ફરાળી લોટના ઉપયોગ બાદ જિલ્લામાં 25 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગની અસર, ફૂડ એન્ડ ડ્રગ્સ

સોલિસિટર જનરલ બોલ્યા- બાલિશ માગ માટે ન આપી શકીએ જાણકારી
તેમણે કહ્યું કે કોઈની બાલિશ માંગ પૂરી કરવા માટે કોઈને માહિતી આપવાનું કહી શકાય નહીં. આ બેજવાબદાર જિજ્ઞાસા છે. તુષાર મહેતાએ કહ્યું કે જે માહિતી માંગવામાં આવી છે તેને પીએમ નરેન્દ્ર મોદીના કામ સાથે કોઈ લેવાદેવા નથી. સોલિસિટર જનરલે કોર્ટમાં દલીલ કરી હતી કે આરટીઆઈ એક્ટ મુજબ માત્ર તે જ માહિતી માંગી શકાય છે, જે જાહેર પ્રવૃત્તિ સાથે સંબંધિત હોય અને જેના વિશે જાહેર હિતમાં જાણવું જરૂરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT