સાંસદ રાજેશ ચુડાસમાની ધમકી બાદ ભાજપ નેતામાં ફફડાટ, કહ્યું- 'મને કંઈ થયું તો...'

ADVERTISEMENT

 સાંસદ રાજેશ ચુડાસમાની વધશે મુશ્કેલી?
MP Rajesh Chudasama
social share
google news

MP Rajesh Chudasama :  જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરી ચર્ચામાં આવ્યા છે. ચૂંટણી જીત્યા બાદ તેમણે જાહેર મંચ પરથી ધમકી આપી હતી કે 'ભાજપ પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ મને જે જે નડ્યા છે તેમને હું મૂકવાનો નથી' ત્યારે સાંસદ રાજેશ ચુડાસમાએ આપેલી ગર્ભીત ધમકી બાદ વેરાવળ ભાજપના નેતા રાકેશ દેવાણીએ જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે 'જો મને કે મારા પરિવારને કંઈ થયું તો તે માટે રાજેશ ચુડાસમા જવાબદાર રહેશે'

રાકેશ દેવાણીએ કરી અરજી

ડોક્ટર અતુલ ચગના આપઘાત મામલે ખુલ્લીને બોલનારા અને  વેરાવળ ભાજપના નેતા રાકેશ દેવાણીએ પોતાની પર હુમલો થઈ શકે છે તેવો દાવો કરતી અરજી જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે જેનાથી જૂનાગઢનું રાજકારણ ફરી એક વાર ગરમાયું છે. રાકેશ દેવાણીએ આ મામલે એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, નામાંકિત અને સેવાભાવી ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમાનું નામ આવ્યું હતું, તેમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જોકે, ચૂંટણી સમયે અતુલ ચગના પરિવાર સાથે સમાધાન થઈ ગયું હોવાની કથા કથિત કહાનીઓ વહેતી કરી હતી, આજદિન સુધી તેમની ધરપકડ નથી થઈ.

માંડ માંડ જીત્યા છે રાજેશ ચુડાસમાઃ રાકેશ દેવાણી

રાકેશ દેવાણીએ કહ્યું કે, રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમાને હજુ સુધી કોર્ટમાંથી ક્લીનચીટ આપવામાં આવી નથી. પોલીસે તેમની ધરપકડ કરીને તેમનું નિવેદન કોઈ જાહેર કર્યું નથી. આ રાજેશ ચુડાસમા નરેન્દ્ર મોદીએ કરેલા કામ અને કાર્યકરોએ કરેલી ખૂબ જ મહેનતથી માંડ માંડ જીત્યા છે. ચૂંટણી જીત્યા બાદ આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આ રાજેશ ચુડાસમાએ મંચ પરથી ધમકી આપી છે કે ભાજપ હિસાબ કરે કે ન કરે, મને જે લોકો નડ્યા છે તેને મુકવાનો નથી. તેમણે કોઈનું નામ લીધું નથી. 

ADVERTISEMENT

'મને કઈ થયું તો રાજેશ ચુડાસમા જવાબદાર રહેશે'

મેં ખુલ્લેઆમ આ રાજેશ ચુડાસમાની વિરોધ કર્યો હતો અને મેં લોકોને આ રાજેશ ચુડાસમાને મત ન આપવાની પણ અપીલ કરી હતી. એટલે મારા જીવને જોખમ છે, મે જિલ્લા કલેક્ટરથી લઈને પોલીસ અને મુખ્યમંત્રી, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરી છે. જો મને કે મારા પરિવારને કંઈ થયું તો તે માટે રાજેશ ચુડાસમા જવાબદાર રહેશે તેવું રાકેશ દેવાણીએ કહ્યું છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

રાજેશ ચુડાસમાએ શું આપી હતી ધમકી?

લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયા બાદ ગીર-સોમનાથ જિલ્લાની તલાલા વિધાનસભા બેઠકના પ્રાચી મુકામે સાંસદ રાજેશ ચુડાસમાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. જોકે આ દરમિયાન ભાજપના સાંસદે સ્ટેજ પરથી સંબોધન કરતા વિવાદિત નિવેદન આપ્યું હતું. સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે, છેલ્લી બે ટર્મના 10 વર્ષ દરમિયાન તમને જે ખાટા ઓડકારો આવ્યા છે એ હવે આગામી પાંચ વર્ષમાં એકપણ ખાટો ઓડકાર નહીં આવવા દઉં. ભાજપ પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ મને જે-જે આ ચૂંટણીમાં નડ્યા છે એમને મૂકવાનો નથી. 

ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ

    follow whatsapp

    ADVERTISEMENT

    રાહુલ ગાંધી પર કંગના રનૌતે કરી નાખી એવી વાત કે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસ નેતાએ કહ્યું- તાત્કાલિક માફી માંગો

    રાહુલ ગાંધી પર કંગના રનૌતે કરી નાખી એવી વાત કે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસ નેતાએ કહ્યું- તાત્કાલિક માફી માંગો

    RECOMMENDED
    મહિલાઓ વિરુદ્ધ અપરાધ અક્ષમ્ય પાપ, દોષી કોઈપણ હોય બચવા ન જોઈએ- PM મોદી

    મહિલાઓ વિરુદ્ધ અપરાધ અક્ષમ્ય પાપ, દોષી કોઈપણ હોય બચવા ન જોઈએ- PM મોદી

    RECOMMENDED
    IPL 2025: ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ સતત બે મેચમાં કરી તોફાની બેટિંગ, ફ્રેન્ચાઇઝની વધી મુશ્કેલી

    IPL 2025: ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ સતત બે મેચમાં કરી તોફાની બેટિંગ, ફ્રેન્ચાઇઝની વધી મુશ્કેલી

    RECOMMENDED
    ચિંતાજનક! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 14ના મોત, રાજ્યના આ જિલ્લાઓમાં શંકાસ્પદ કેસ

    ચિંતાજનક! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 14ના મોત, રાજ્યના આ જિલ્લાઓમાં શંકાસ્પદ કેસ

    MOST READ
    વરસાદના કારણે મોકૂફ રખાયેલી નાયબ મામલતદાર અને DySOની પરીક્ષા ક્યારે લેવાશે? આવી મોટી અપડેટ

    વરસાદના કારણે મોકૂફ રખાયેલી નાયબ મામલતદાર અને DySOની પરીક્ષા ક્યારે લેવાશે? આવી મોટી અપડેટ

    RECOMMENDED
    ઋષભ પંત માટે રોહિત શર્મા કોને બનાવશે બલિનો બકરો? 3 મેચમાં 190 રન બનાવનારનું કપાશે પત્તુ

    ઋષભ પંત માટે રોહિત શર્મા કોને બનાવશે બલિનો બકરો? 3 મેચમાં 190 રન બનાવનારનું કપાશે પત્તુ

    RECOMMENDED
    તહેવારો પર સસ્તી થશે કાર! સરકારના આ નિર્ણયથી તમે થઈ જશો ખુશ, જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ

    તહેવારો પર સસ્તી થશે કાર! સરકારના આ નિર્ણયથી તમે થઈ જશો ખુશ, જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ

    RECOMMENDED
    આજનું રાશિફળ: જન્માષ્ટમી પર બનતા ખાસ સંયોગથી આ 8 રાશિઓની કિસ્મત ચમકશે, તમારું રાશિફળ શું કહે છે?

    આજનું રાશિફળ: જન્માષ્ટમી પર બનતા ખાસ સંયોગથી આ 8 રાશિઓની કિસ્મત ચમકશે, તમારું રાશિફળ શું કહે છે?

    RECOMMENDED
    22 August Rashifal: આજે સર્વાર્થ સિદ્ધિ યોગનો શુભ સંયોગ, મીન સહિત આ 5 રાશિઓ માટે લાભદાયી રહેશે દિવસ

    22 August Rashifal: આજે સર્વાર્થ સિદ્ધિ યોગનો શુભ સંયોગ, મીન સહિત આ 5 રાશિઓ માટે લાભદાયી રહેશે દિવસ

    RECOMMENDED
    પરીક્ષા વગર જ પોસ્ટમાં સરકારી નોકરી, 10મું પાસ ઉમેદવાર તરત જ કરો અરજી

    પરીક્ષા વગર જ પોસ્ટમાં સરકારી નોકરી, 10મું પાસ ઉમેદવાર તરત જ કરો અરજી

    MOST READ