Rupala Contervy: જયરાજસિંહ જાડેજાએ સંકલન સમિતિ પર કર્યો પ્રહાર, જુઓ ક્ષત્રિય આંદોલન પર શું બોલ્યા

ADVERTISEMENT

જયરાજસિંહના નિવેદન બાદ શું ભાજપની જીત પાક્કી?
Lok Sabha Elections
social share
google news

Lok Sabha Elections: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મે 2024ના રોજ યોજાવા જઈ રહી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા અને મતદારોને આકર્ષવા માટે અડીચોટીનું જોર લગાવી રહી છે. આ વખતે સૌરાષ્ટ્રની સૌથી મહત્વની ગણાતી રાજકોટ બેઠક પર દરેકની નજર છે કારણ  કે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી આખો ક્ષત્રિય સમાજ તેમની સામે થઈ ગયો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા હવે આ વિરોધ ભારતીય જનતા પાર્ટી તરફ વળી ગયો છે. ક્ષત્રિયો હવે ઠેર-ઠેર મહાસંમેલન યોજીને ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું.  

CBSE 10th 12th Result: પરિણામ પહેલાં 6 અંકનો ડિજિટલ કોડ જાહેર, તેના વગર નહીં જોઈ શકો રીઝલ્ટ! 


જયરાજસિંહે ક્ષત્રિયોનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું

આજ રોજ ગોંડલમાં ગરાસિયા રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, કારડીયા રાજપૂત સમાજ, નાડોદા રાજપૂત સમાજ, સોરઠીયા રાજપૂત સમાજ, ખાંટરાજપૂત સમાજ સહિતનાનું સંમેલન યોજાયું હતું. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના આંદોલન પર બોલતા તેમણે કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું હતું. ક્ષત્રિય સમાજના સ્ટેજ પર ભાષણ આપતા આગેવાનો કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનો પણ દાવો કર્યો હતો. ક્ષત્રિય સંકલન સમિતિ પર જયરાજસિંહ જાડેજાએ ખુલામાં પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે દાવો કર્યો કે,  પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવારને ગોંડલ વિધાનસભા વિસ્તારમાંથી 1 થી 1.5 લાખની લીડ નીકળશે.

અમદાવાદમાં ક્ષત્રિય ધર્મરથ યાત્રા

તો બીજી તરફ ક્ષત્રિય ધર્મરથ યાત્રાની વાત કરવામાં આવે તો નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, ખોખરા હાટકેશ્વર, અમરાઈવાડી થઈ અને સાંજે વસ્ત્રાલ ખાતે પૂર્ણ થઈ હતી. ધર્મરથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. આ યાત્રામાં ‘જય ભવાની ભાજપ જવાની’ના નારા લગાવવામાં આવ્યા હતા.રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છે.
 

ADVERTISEMENT

(ઈનપુટ: રોનક મજેઠીયા, રાજકોટ)

    follow whatsapp

    ADVERTISEMENT

    રાજ્યસભાની તમામ 12 બેઠકો પર બિનહરીફ પેટાચૂંટણી, જાણો કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર ચૂંટાયા

    રાજ્યસભાની તમામ 12 બેઠકો પર બિનહરીફ પેટાચૂંટણી, જાણો કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર ચૂંટાયા

    RECOMMENDED
    'મને માફ કરજે મારા ભાઈ...', સિંગર અને ભાજપ નેતા ખાસ અંદાજમાં કોંગ્રેસમાં જોડાયા

    'મને માફ કરજે મારા ભાઈ...', સિંગર અને ભાજપ નેતા ખાસ અંદાજમાં કોંગ્રેસમાં જોડાયા

    RECOMMENDED
    ગર્લફ્રેન્ડને ભગાડવા જતા પરિજનો પાછળ પડ્યા, પાકિસ્તાની યુવક બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘુસી ગયો

    ગર્લફ્રેન્ડને ભગાડવા જતા પરિજનો પાછળ પડ્યા, પાકિસ્તાની યુવક બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘુસી ગયો

    RECOMMENDED
    IAS Smita Sabharwal ની ધોરણ 12ની Marksheet વાયરલ, માર્કસ જોઈને તમે ચોંકી જશો

    IAS Smita Sabharwal ની ધોરણ 12ની Marksheet વાયરલ, માર્કસ જોઈને તમે ચોંકી જશો

    RECOMMENDED
    CCTV: Rajkotમાં જૈન દેરાસરમાં દર્શન કરતા યુવક પર જીવલેણ હુમલો, 9 સેકન્ડમાં છરીના 5 ઘા ઝિંકી દીધા

    CCTV: Rajkotમાં જૈન દેરાસરમાં દર્શન કરતા યુવક પર જીવલેણ હુમલો, 9 સેકન્ડમાં છરીના 5 ઘા ઝિંકી દીધા

    RECOMMENDED
    VIDEO : ચિરાગ પાસવાન પર થયો સવાલ, કંગનાએ હાથ જોડ્યા, પહેલીવાર આપ્યો આ જવાબ

    VIDEO : ચિરાગ પાસવાન પર થયો સવાલ, કંગનાએ હાથ જોડ્યા, પહેલીવાર આપ્યો આ જવાબ

    RECOMMENDED
    એક્શનઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહી, સુરક્ષા દળોએ એક આતંકવાદીને માર્યો ઠાર

    એક્શનઃ જમ્મુ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહી, સુરક્ષા દળોએ એક આતંકવાદીને માર્યો ઠાર

    RECOMMENDED
    સરકારી નોકરી માટે વધુ એક તક, GSSSB જાહેર કરી નવી ભરતી; જાણો પોસ્ટથી લઈ પગાર સુધીની તમામ માહિતી

    સરકારી નોકરી માટે વધુ એક તક, GSSSB જાહેર કરી નવી ભરતી; જાણો પોસ્ટથી લઈ પગાર સુધીની તમામ માહિતી

    MOST READ
    IPL 2025 સીઝન પહેલા આશીષ નહેરા Gujarat Titansથી અલગ થઈ જશે? સામે આવી મોટી અપડેટ

    IPL 2025 સીઝન પહેલા આશીષ નહેરા Gujarat Titansથી અલગ થઈ જશે? સામે આવી મોટી અપડેટ

    RECOMMENDED
    KKR એ મુંબઈ ઈન્ડિયન્સના આ દિગ્ગજ ખેલાડીને આપી કેપ્ટન બનવાની ઓફર, નામ જાણી ચોંકી જશો

    KKR એ મુંબઈ ઈન્ડિયન્સના આ દિગ્ગજ ખેલાડીને આપી કેપ્ટન બનવાની ઓફર, નામ જાણી ચોંકી જશો

    RECOMMENDED