Lok Sabha Election: સુપર સ્ટાર અભિનેતા ગોવિંદા એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા, આ બેઠક પરથી લડશે ચૂંટણી!

ADVERTISEMENT

Lok Sabha Election
'હીરો નંબર 1' ફરી રાજકીય ઇનિંગ રમવા તૈયાર
social share
google news

Lok Sabha Election 2024: પૂર્વ સાંસદ અને પ્રખ્યાત ફિલ્મ સ્ટાર ગોવિંદા એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે. ગોવિંદાને મુંબઈ-ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી શિવસેનાના યુબીટીના અમોલ કીર્તિકર સામે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. 2004ની લોકસભા ચૂંટણીમાં ગોવિંદાએ મુંબઈ ઉત્તર લોકસભામાંથી કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડી હતી. તેમણે ભાજપના વરિષ્ઠ નેતા રામ નાઈકને હરાવ્યા હતા. જો કે, ગોવિંદાએ પાછળથી 2009ની લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કરીને કોંગ્રેસ પક્ષ અને રાજકારણથી અલગ થઈ ગયા.

'હીરો નંબર 1' ફરી રાજકીય ઇનિંગ રમવા તૈયાર 

ગયા અઠવાડિયે, ગોવિંદા અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે વચ્ચે બીજી મુલાકાત થઈ હતી, ત્યારથી એવી અટકળો શરૂ થઈ હતી કે 'હીરો નંબર વન' અભિનેતા ફરી એકવાર રાજકીય ઇનિંગ રમી શકે છે. બુધવારે શિંદે કેમ્પના પ્રવક્તા કૃષ્ણા હેગડે લોકપ્રિય અભિનેતાને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. NCP (શરદ પવાર)ના નેતા જયંત પાટીલે ગોવિંદાને મળ્યા બાદ એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો હતો. 

આ વાંચો:- શું સાનિયા મિર્ઝા હવે રાજકારણના મેદાનમાં ઉતરશે? 

મહારાષ્ટ્રના રાજકારણ હજુ સીટની વહેંચણી બાકી

મહારાષ્ટ્રના રાજકારણની વાત કરીએ તો, સીટોની વહેંચણી એ મહાયુતિ અને મહા વિકાસ આઘાડી (MVA) બંને માટે વિવાદનો મુદ્દો રહ્યો છે. એકનાથ શિંદેએ હજુ સુધી બીજેપી અને અજિત પવારની આગેવાનીવાળી NCP સાથે સીટની વહેંચણી નક્કી કરી નથી. દરમિયાન, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ 17 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કર્યા પછી કોંગ્રેસ અને એનસીપી (શરદચંદ્ર પવાર) બંને નારાજ થયા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો:- 84 લાખ કરોડનું ભોજન વેડફાયું, ભારતીયો પણ બીજા નંબરે... 

મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે ચૂંટણી 

મહા વિકાસ આઘાડી (MVA)ના ઘટક કોંગ્રેસ, સેના (UBT) અને NCP (શરદચંદ્ર પવાર) મહારાષ્ટ્રમાં 48 મતવિસ્તારો માટે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરી રહ્યા છે. શિવસેના (UBT)એ કહ્યું છે કે તે રાજ્યમાં 22 બેઠકો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ મુંબઈની છમાંથી ત્રણ સીટો - નોર્થ વેસ્ટ, નોર્થ સેન્ટ્રલ અને સાઉથ સેન્ટ્રલની માંગ કરી રહી છે. આ પક્ષો વચ્ચે પરસ્પર સંકલન થાય છે કે કેમ તે જોવું રહ્યું. મહારાષ્ટ્રમાં 48 બેઠકો માટે લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 20 મે વચ્ચે પાંચ તબક્કામાં યોજાશે અને મતગણતરી 4 જૂને થશે.
 

    follow whatsapp

    ADVERTISEMENT