કોંગ્રેસ નેતા Radhika Khera એ પાર્ટી છોડી, કહ્યું- મારા અયોધ્યા જવાનો થયો વિરોધ

ADVERTISEMENT

Radhika Khera
રાજીનામાં બાદ શું બોલ્યા રાધિકા ખેડા
social share
google news

Congress's Radhika Khera quits party: લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. છત્તીસગઢ કોંગ્રેસના નેતા રાધિકા ખેડાએ રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે આજે ખૂબ જ પીડા સાથે હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું.  રાધિકા ખેડાએ પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, દરેક હિંદુ માટે ભગવાન શ્રી રામનું જન્મસ્થળ તેની પવિત્રતા સાથે ઘણું મહત્વ ધરાવે છે. દરેક હિંદુ માત્ર રામલલાના દર્શન કરીને પોતાનું જીવન સફળ માને છે, પરંતુ કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આ કારણે તેમણે રાજીનામું આપ્યું હોવાની વાત મળી રહી છે.

રાજીનામાં બાદ શું બોલ્યા રાધિકા ખેડા

રાધિકાએ લખ્યું કે, જે પાર્ટીને મેં મારા જીવનના 22 વર્ષથી વધુ સમય આપ્યા. જ્યાં તેમણે NSUI અને AICCના મીડિયા વિભાગમાં સંપૂર્ણ પ્રમાણિકતા સાથે કામ કર્યું. આજે મારે ત્યાં પણ આવા જ તીવ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે હું મારી જાતને અયોધ્યામાં રામલલાના દર્શન કરતા રોકી શકી ન હતી. તેણે લખ્યું કે, મારા ઉમદા કાર્યનો વિરોધ એ સ્તરે પહોંચી ગયો કે છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મારી સાથે બનેલી ઘટનામાં મને ન્યાય ન મળ્યો. હું હંમેશા અન્યો માટે ન્યાય માટે દરેક મંચ પરથી લડી છું, પરંતુ જ્યારે મારા પોતાના ન્યાયની વાત આવી ત્યારે મને પાર્ટીનો સાથ જ ન મળ્યો.

કોણ છે રાધિકા ખેડા?

તમને જણાવી દઈએ કે, 30 એપ્રિલના રોજ એક ટ્વિટમાં રાધિકા ખેડાએ દાવો કર્યો હતો કે તે "પુરુષ માનસિકતા"થી પીડિત લોકોને ઉજાગર કરશે, રાયપુરના રાજીવ ભવન સંકુલમાંથી રાધિકા ખેડાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડીયોમાં રાધિકા ખેરા પોતાના પ્રત્યે અનાદરની ફરિયાદો વ્યક્ત કરી રહી છે. IIT અમદાવાદ સાથે જોડાયેલા રાધિકા ખેરા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેની જવાબદારી સંભાળી રહી હતી. આ ઉપરાંત તેમની પાસે છત્તીસગઢમાં મીડિયા કોઓર્ડિનેટરની જવાબદારી પણ હતી. તેણીએ કોંગ્રેસની ટિકિટ પર દિલ્હીની જનકપુરી બેઠક પરથી છેલ્લી વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તે AAP ઉમેદવાર સામે હારી ગઈ હતી.
 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT