Pradhan Mantri Awas Yojana: અમદાવાદમાં EWS આવાસ યોજનાની જાહેરાત, જાણો ક્યાંથી ભરી શકાશે ફોર્મ?

ADVERTISEMENT

EWS Awas
EWS Awas
social share
google news

Pradhan Mantri Awas Yojana: અમદાવાદમાં રહેતા અને સસ્તામાં મકાન શોધી રહેલા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS પ્રકારના આવાસોની જાહેરાત કરવામાં આવી છે. આ માટે આવતીકાલે એટલે કે 15મી માર્ચથી ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. 

આ પણ વાંચો: TMKOC: વડોદરામાં સગાઈની વાત પર 'બબીતાજી' અને 'ટપ્પુ'નું પહેલું નિવેદન, જુઓ શું કહ્યું

કોણ કરી શકે મકાન માટે અરજી?

અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા અને વાર્ષિક 3 લાખથી ઓછી આવક ધરાવતા કુંટુંબ માટે EWS-2 આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. શહેરના નરોડા મુઠીયા, હંસપુરા અને ગોતા વિસ્તારમાં 1055 આવાસો બનાવાશે. લાભાર્થીઓની પસંદગી કોમ્પ્યુટરાઈઝ ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે. 

કેટલી હશે મકાનની કિંમત?

EWS-2 કેટેગરીના આ મકાનો માટે 15 માર્ચ 2024થી 13 મે 2024 સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મકાનની કિંમત 5,50,000 રૂપિયા રહેશે અને મેઈન્ટેનન્સની રકમ રૂ.50,000 એમ લાભાર્થીએ કુલ 6 લાખ રૂપિયા ભરવાના રહેશે. આ મકાન 35 ચો.મી.થી વધુ અને 40 ચો.મીથી ઓછા કાર્પેટ એરિયા ધરાવતા હશે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: Accident: જૂનાગઢમાં હિટ એન્ડ રન, ઈકો કારના ચાલકે બાઈકને અડફેટે લેતા ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત

આવાસ યોજનામાં શું સુવિધાઓ હશે?

સરકારની જાહેરાત મુજબ, આ આવાસ યોજનામાં આકર્ષક એલિવેશન, વિટ્રીફઆઈડ ટાઈલ્સ, મુખ્ય દરવાજામાં બન્ન બાજુએ લેમીનેટેડ ફ્લશ શીટ, પાર્કિગ તેમજ અન્ય જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવીંગ, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, પરકોલેટીંગ વેલ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, સોલાર પેનલ, પાઉડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઈડીંગ વિન્ડોઝ, કેમ્પસમાં આર.સી.સી રસ્તા, ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ મુજબનું બાંધકામ, સ્ટ્રીટ લાઈટ તથા પીએનજી કનેક્શન મળશે.
 

    follow whatsapp

    ADVERTISEMENT