'ભારતને હરાવવા માટે શ્રીલંકાને મદદ કરી રહ્યા છે ભારતીય દિગ્ગજ', જયસૂર્યાનો ચોંકાવનારો ખુલાસો

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા શ્રીલંકાના વચગાળાના કોચ સનથ જયસૂર્યાએ મોટો ખુલાસો કર્યો છે.

સનથ જયસૂર્યા

sanath jayasuriya

follow google news

IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા શ્રીલંકાના વચગાળાના કોચ સનથ જયસૂર્યાએ મોટો ખુલાસો કર્યો છે. જયસૂર્યાએ જણાવ્યું કે, આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સના હાઈ પરફોર્મન્સ ડાયરેક્ટર ઝુબિન ભરૂચાએ તેના બેટ્સમેનોને ભારત સામે વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓની નિવૃત્તિનો લાભ શ્રીલંકાની ટીમ ઉઠાવશે.

ગયા મહિને ભારતની વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લીધી હતી. ભારત-શ્રીલંકા ટી-20 શ્રેણી 27 જુલાઈથી શરૂ થશે. જયસૂર્યાએ ખુલાસો કર્યો કે શ્રીલંકાના કેટલાક ખેલાડીઓ લંકા પ્રીમિયર (LPL) લીગ સાથે સંકળાયેલા હોવા છતાં ઝુબિન ભરૂચા સાથે છ દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતી ક્રિકેટરે ગુપચુપ લગ્ન કરી લીધા, 10 દિવસ બાદ શેર કર્યા ફોટો

સનથ જયસૂર્યાએ કહ્યું, ‘અમે એલપીએલ પછી તરત જ કેમ્પ શરૂ કર્યો હતો. મોટાભાગના ખેલાડીઓ એલપીએલમાં રમતા હતા. અમારા ઘણા ખેલાડીઓ વ્યસ્ત હતા. આમ છતાં અમે રાજસ્થાન રોયલ્સ તરફથી ઝુબિન ભરૂચાને લાવ્યા. અમે લગભગ છ દિવસ તેની સાથે કામ કર્યું. એલપીએલમાં રમ્યા બાદ તેની સાથે અન્ય ક્રિકેટરો પણ જોડાયા હતા. આનાથી ખેલાડીઓને ફાયદો થયો છે.

ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જયસૂર્યાએ કહ્યું, 'તૈયારી સારી છે. T20 શ્રેણી શરૂ થાય તે પહેલા અમારી પાસે કેન્ડીમાં વધુ બે દિવસ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો માટે નવી ટેકનિક, નવો અભિગમ શીખવો અને નવા શોટ મારવા જરૂરી છે જેથી તેઓ અસરકારક બની શકે.

એક પ્રેસે જયસૂર્યાને ટાંકીને કહ્યું, 'રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. તેની ગેરહાજરી ભારતીય ટીમ માટે નુકસાન છે અને અમારે તેનો મહત્તમ લાભ ઉઠાવવો પડશે.

    follow whatsapp