Hanuman Jayanti 2024: હિંદુ કેલેન્ડર મુજબ, હનુમાન જયંતિનો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે 23મી એપ્રિલને મંગળવારે હનુમાન જયંતિ મનાવવામાં આવશે અને તે જ દિવસે હનુમાન જન્મોત્સવ પણ ઉજવવામાં આવશે.
ADVERTISEMENT
આ વખતે હનુમાન જયંતિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે શનિ કુંભ રાશિમાં શશ રાજયોગ બનાવશે. કારણ કે હનુમાન જયંતિના દિવસે શનિદેવની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. હકીકતમાં હનુમાન મહોત્સવ પર શનિદેવના રાજયોગનો મહાસંયોગ લગભગ 10 વર્ષે પછી બની રહ્યો છે. જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ હનુમાન જયંતિના દિવસે શનિ શશ રાજયોગ બનાવીને સાડે સતીની અસરને ઓછી કરશે.
મકર
હનુમાન જયંતિ પર શનિનો સંયોગ મકર રાશિના લોકો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. મકર રાશિવાળાને સાડાસાતીમાંથી છૂટકારો મળશે. આવતા એક મહિનામાં જ તમારી તરક્કીનો યોગ બની શકે છે. મકર રાશિવાળાને ધંધામા લાભ થશે. મકર રાશિના લોકોને વેપારમાં લાભ મળશે.
Colourful Shivling: ભારતનું ચમત્કારી મંદિર, જ્યાં શિવલિંગનો દિવસમાં 3 વખત બદલાય છે કલર
કુંભ
હનુમાન જયંતિ પર શનિની યુતિના કારણે કુંભ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. તમને મોટા સારા સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમને સહકર્મીઓનો સહયોગ મળી શકે છે.
મીન
હનુમાન જયંતિ પર શનિની યુતિના કારણે મીન રાશિના લોકોને તેમના દરેક કામમાં સફળતા મળશે. તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે. નોકરીમાં તમને નવી તકો મળશે. મીન રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે.
ADVERTISEMENT
