હપ્તાખોરી મુદ્દેની લડાઈમાં કાલે MP મનસુખ વસાવા અને MLA ચૈતર વસાવા આમને સામને, થશે જોવાજેવી

Niket Sanghani

• 08:36 AM • 31 Mar 2023

નર્મદા: છેલ્લા થોડા દિવસથી ભજપના સાંસદ અને આપણાં ધારાસભ્ય વચ્ચેનો શાબ્દિક જંગ ચર્ચાનો વિષે બન્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાના લેટર પેડ પર એક પત્ર…

gujarattak
follow google news

નર્મદા: છેલ્લા થોડા દિવસથી ભજપના સાંસદ અને આપણાં ધારાસભ્ય વચ્ચેનો શાબ્દિક જંગ ચર્ચાનો વિષે બન્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાના લેટર પેડ પર એક પત્ર વાયરલ થયો હતો. આ પત્ર વાયરલ થયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાને પત્ર લખીને જાહેરમાં ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ ઘટનાને લઈ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને સણસણતો જવાબ આપ્યો હતો અને સાંસદ મનસુખ વસાવા કહ્યું કે, ચૈતર વસાવા જ્યાં બોલાવે ત્યાં હું આવવા તૈયાર છું. ત્યારે આવતી કાલે રાજપીપળામાં બંને વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

આ પણ વાંચો

એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે બીજી તરફ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા સામસામે આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ સંસદ મનસુખ વસાવાને પત્ર લખી પુરાવા સાથેનો ખુલાસો માંગ્યો હતો ત્યારે સાંસદ મનસુખ વસાવા દિલ્હી થી આવતાજ ચૈતર વસાવાને પડકાર ફેંક્યો છે. તેને કહ્યું કે, ચૈતર વસાવા જ્યાં બોલાવે ત્યાં હું આવવા તૈયાર છું. મારે જે પુરાવા આપવા હશે એ હું એની સામે પુરાવા આપવાનો છું. ત્યારે હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. હપ્તાખોરી મુદ્દે શરૂ થયેલી આ લડાઈમાં બંને આવતીકાલે આમનેસામને જોવા મળશે. આ મામલે સાંસદ મનસુખ વસાવાએ ટ્વિટ પણ કર્યું છે.

જાણો શું છે ટ્વિટમાં
ચૈતર વસાવા દ્વારા કરેલ આક્ષેપ પર જવાબ.. આમ આદમી પાર્ટીના નેતાઓ અને ચૈતર વસાવા દ્વારા અનેક આરોપ મૂકીને જનતાને ગુમરાહ કરવાનું કાર્ય થાય છે. ચૈતર વસાવા દ્વારા ચેલેન્જ કરેલ ઓપન ડિબેટ કરવા અર્થે હું તારીખ પ્રથમ એપ્રિલ, શનિવાર આવતીકાલે રાજપીપળાના ગાંધી ચોક પર 10 વાગ્યે હાજર રહીશ. જેમને કોઈ પણ પ્રશ્ન હશે તે બધાનો જવાબ મળશે. આ માટે હું પત્રકાર મિત્રોને પણ આમંત્રણ આપું છું. જય હિંદ ભારત માતા કી જય

 

અગાઉ ભાજપ, કોંગ્રેસ અને આપણાં નેતાઓ પર હપ્તા ઊગરવવાના આરોપ લગાવવાંમાં આવ્યા હતા. ત્યારે અમે તેને પુરાવા સાથે ખુલાસા સાથે પુરાવા માંગ્યા હતા. ત્યારે મનસુખ ભાઈ કાલે 10 વાગે આવવાના છે. ત્યારે અમારા પર આરોપ લગાવ્યા છે ત્યારે અમે પહોંચીસુ. પુરાવા રજૂ કરશે તો લોકોને પણ જાણ થશે. આ નર્મદાના પ્રાણ પ્રશ્નો છે તેના પર મોટી ડિબેટ થવાની છે. ગુજરાતની અને નર્મદાની જનતા આવતી કાલે બધુ લાઈવ જોશે. સાથે વહીવટીતંત્રને અપીલ કરું છું કે આવતી કાલે અમારી ડિબેટમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેવી પ્રશાસનને અપીલ કરું છું

ચૈતર વસાવાએ માંગ્યો હતો ખુલાસો 
ધારાસભ્ય ચૈતર વસાવાએ સંસદ મનસુખ વસાવાને પત્ર લખી કહ્યું હતું કે, આપે પત્ર લખીને તથા પ્રેસ મીડિયાને સંબોધીને નર્મદા જિલ્લાના ભાજપ, કોંગ્રેસ, અને આપ પાર્ટી ના આગેવાનો કોન્ટ્રકટરો અને અધિકારીઓ પાસે નિયમિત હપ્તા ઉઘરાવતા હોવાના અને ગદ્દાર હોવાના ગંભીર આરોપો લગાવેલ છે. આ નેતાઓમાં નામ જોગ મારું, મોતીભાઈ વસાવા(માજી ધારાસભ્ય, શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત માજી પ્રમુખ, પર્યુશાબેન વસાવા, નર્મદા જિલ્લા પંચાયત ના હાલ ના પ્રમુખ, નાંદોદનાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તથા નાનાભાઈ રવિ દેશમુખ, કોર્પોરેટર વીરુભાઈ દરબાર તથા પાર્ટીના નેતાઓ પર હપ્તાઓ ઉઘરાવવાના અને ગદ્દાર હોવાના આરોપો આપે લગાવેલ છે.

આ પણ વાંચો:પોરબંદરના ભેટકડીમાં જૂની અદાવતમાં આઠ રાઉન્ડ ફાયરિંગ, પોલીસ એક્શન મોડમાં

જેનાથી અમારા પરિવાર,સગા સબંધીઓ, સમર્થકો અને જાહેર જનતા આ બાબતે ખુલાસો માંગી રહ્યા છે. આપે જેટલા આગેવાનો પર નામ જોગ આરોપો લગાવેલ છે એ તમામ બંધારણીય હોદ્દા પર લોક પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. જેથી આ બાબત નો રૂબરૂ પુરાવા સાથેનો ખુલાસો અનિવાર્ય બની રહે છે. જેથી આપ આ પત્ર મળ્યે પછી દિન 3 માં નર્મદા જિલ્લાના કોઈ પણ સ્થળે આપની અધ્યક્ષતામાં અમને પ્રેસ મીડિયા અને જાહેર જનતાને બોલાવી આ ભ્રષ્ટાચાર અને ગદ્દાર અંગેની ખુલ્લી ચર્ચાઓ રાખી ઉજાગર કરો. એવી અમારી માંગણી છે. જો આપ આમ કરવામાં નિષ્ફળ જશો તો, દિન 7 પછી અમને તમામ ને રાજકીય રીતે વેતરી નાખવામાં અને છબી ખરડાવવા બદલ આપ પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેશો તેમ પત્રમાં જણાવ્યું હતું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)

    follow whatsapp