અંબાજી મંદિરમાં ગરબાને લઈને જાહેર કરાયા નિયમો, પુરુષો-મહિલાઓ સાથે ગરબા નહીં રમી શકે

Yogesh Gajjar

• 02:01 PM • 14 Oct 2023

Navratri 2023: આવતીકાલથી રાજ્યભરમાં નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રી પહેલા અંબાજી મંદિરમાં ગરબાને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. મંદિરમાં પુરુષો અને મહિલાઓ સાથે…

gujarattak
follow google news

Navratri 2023: આવતીકાલથી રાજ્યભરમાં નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રી પહેલા અંબાજી મંદિરમાં ગરબાને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. મંદિરમાં પુરુષો અને મહિલાઓ સાથે ગરબા નહીં રમી શકે. મહિલા અને પુરુષ ખેલૈયાઓ માટે ગરબા રમવાની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાચરચોકમાં માત્ર મહિલાઓ જ ગરબા રમી શકશે જ્યારે પુરુષો પીત્તળના ગેટની બહાર ગરબા રમવાના રહેશે. મહિલાની ગરીમા જાળવવા માટે આ પ્રકારની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો

ગરબા રમવા કે જોવા આઈકાર્ડ બતાવવાનું રહેશે

મંદિર સમિતી દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ., ગરબા રમવા કે જોવા આવનારે ફરજીયાત આઈકાર્ડ બતાવવાનું રહેશે. ચાચરચોકમાં પ્રવેશવા માટે આધારકાર્ડ, લાઈસન્સ સહિતના ડોક્યુમેન્ટ બતાવવાના રહેશે અને આ બાદ જ એન્ટ્રી મળશે. આ નિર્ણય જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાએ સમીક્ષા કરીને લીધો છે.

નોંધનીય છે કે, આવતીકાલથી રાજ્યભરમાં ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ સ્થળો પર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે ગરબામાં વિધર્મીઓ આવતા હોવાની આશંકા વચ્ચે ઘણા સ્થળો પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ તપાસ કરશે તેવો પણ નિર્ણય કર્યો છે અને ખેલૈયાઓને તિલક લગાવ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે.

    follow whatsapp