'ક્રિકેટમાં ધોનીની જેમ રાજનીતિમાં રાહુલ ગાંધી બેસ્ટ ફિનિશર છે', ચૂંટણી રેલીમાં રાજનાથ સિંહનો કટાક્ષ

Gujarat Tak

• 11:08 AM • 07 Apr 2024

Lok Sabha Election 2024: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Singh) શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર કટાક્ષ કર્યો, તેમને ભારતીય રાજકારણના 'શ્રેષ્ઠ ફિનિશર' ગણાવ્યા અને તેમની સરખામણી મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી.

Rajnath Singh

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની તસવીર

follow google news

Lok Sabha Election 2024: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Singh) શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર કટાક્ષ કર્યો, તેમને ભારતીય રાજકારણના 'શ્રેષ્ઠ ફિનિશર' ગણાવ્યા અને તેમની સરખામણી મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી. એક ચૂંટણી રેલીને સંબોધતા રાજનાથ સિંહે લોકોને પૂછ્યું કે, ક્રિકેટમાં શ્રેષ્ઠ ફિનિશર કોણ છે? તેના પર જનતા જવાબ આપે છે અને કહે છે- ધોની.

આ પણ વાંચો

આ પછી રાજનાથ સિંહ કહે છે, 'જો કોઈ અમને પૂછે કે ભારતીય રાજકારણમાં ટોપ ફિનિશર કોણ છે, તો અમે કહીશું રાહુલ ગાંધી. આ જ કારણ છે કે ઘણા નેતાઓ કોંગ્રેસ છોડી ચૂક્યા છે.

આ પણ વાંચો: કેન્દ્રિય મંત્રીએ દાખલ કરેલી અરજીમાં સ્પેલિંગની ભૂલ હતી! હાઈકોર્ટે 1.25 લાખનો દંડ કર્યો

ભ્રષ્ટાચાર અને કોંગ્રેસનો અતૂટ સંબંધ

મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું, 'કોંગ્રેસનો ભ્રષ્ટાચાર સાથે ખૂબ જ અતૂટ સંબંધ છે. એક ગીત હતું, તુ ચલ મેં આયી.. ભ્રષ્ટાચાર અને કોંગ્રેસનો સંબંધ એવો જ છે. ભ્રષ્ટાચાર કહે છે ઓ કોંગ્રેસ, તું ચલ મેં આયી. તમે જોયું જ હશે કે જ્યાં કોંગ્રેસ આવી ત્યાં ભ્રષ્ટાચાર પહોંચ્યો. કોંગ્રેસની મોટાભાગની સરકારો પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના કોઈપણ મંત્રી પર આવા આરોપો નથી લાગ્યા.

'વન નેશન, વન ઈલેક્શન' જરૂરી છે

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, એક સમયે કોંગ્રેસ ભારતીય રાજનીતિ પર પ્રભુત્વ ધરાવતી હતી, પરંતુ હવે તે દેશના બે-ત્રણ નાના રાજ્યોમાં જ શાસન કરી રહી છે. અગાઉ એક રેલીમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી ત્યાં સુધી નહીં રોકાય જ્યાં સુધી કોંગ્રેસ 'ખતમ' ન થઈ જાય. તેમણે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ના પ્રસ્તાવને પણ સંપૂર્ણ સમર્થન આપ્યું અને દાવો કર્યો કે આનાથી દેશના સમય અને સંસાધનોની બચત થશે. તેમણે કહ્યું કે, પાંચ વર્ષમાં માત્ર બે વાર ચૂંટણી યોજવી જોઈએ - એક વખત સ્થાનિક સંસ્થાઓ માટે, પછી વિધાનસભાઓ અને લોકસભા માટે.

આ પણ વાંચો: અમદાવાદની રેસ્ટોરાંએ બ્રાહ્મણ પરિવારને નોન-વેજ પીરસ્યું, ગ્રાહકે રૂ.30 લાખનો દાવો માંડ્યો

ભારત 2045 સુધીમાં મહાસત્તા બની જશે

રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે, ભારત 2045 સુધીમાં સુપર પાવર બની જશે. તેમણે કહ્યું કે સત્તામાં રહીને કોંગ્રેસે ઘણા વચનો આપ્યા હતા અને જો તે આંશિક રીતે પણ પૂરા થયા હોત તો ભારત ઘણા સમય પહેલા શક્તિશાળી દેશ બની ગયો હોત. તેમણે કહ્યું કે, બીજી તરફ ભાજપે દસ વર્ષમાં પોતાના તમામ વચનો પૂરા કર્યા.

તેમણે ભારપૂર્વક કહ્યું કે, તુષ્ટિકરણ માટે રાજનીતિ ન કરવી જોઈએ અને ભાજપ રાષ્ટ્ર નિર્માણ માટે રાજનીતિ કરી રહી છે. UPA શાસન દરમિયાન થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું કે, ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ જો ઉશ્કેરવામાં આવે તો જરૂર પડ્યે ભારત સરહદ પાર કરીને કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે દેશે છેલ્લા દસ વર્ષમાં આ સાબિત કર્યું છે.

    follow whatsapp