Loksabha Election: ભાજપે મેનિફેસ્ટો કમિટીની કરી જાહેરાત, રાજનાથ સિંહ કરશે સમિતિની અધ્યક્ષતા

ભાજપે લોકસભા ચૂંટણી માટે ચૂંટણી મેનિફેસ્ટો સમિતિની જાહેરાત કરી છે. તેની અધ્યક્ષતાની કમાન રાજનાથ સિંહના હાથમાં સોંપવામાં આવી છે. જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના કન્વીનર હશે. પીયૂષ ગોયલને સહ-સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે

ભાજપે મેનિફેસ્ટો કમિટીની કરી જાહેરાત

Loksabha Election

follow google news

BJP forms election manifesto committee: ભાજપે લોકસભા ચૂંટણી માટે ચૂંટણી મેનિફેસ્ટો સમિતિની જાહેરાત કરી છે. તેની અધ્યક્ષતાની કમાન રાજનાથ સિંહના હાથમાં સોંપવામાં આવી છે. જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના કન્વીનર હશે. પીયૂષ ગોયલને સહ-સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ભાજપની આ ચૂંટણી ઢંઢેરાની સમિતિમાં કુલ 27 સભ્યો હશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સાથે પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.

ચૂંટણી મેનિફેસ્ટો સમિતિના સભ્યોની યાદી


ભાજપની ચૂંટણી ઢંઢેરાની સમિતિમાં અર્જુન મુંડા, ભૂપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઈરાની, અર્જુનરામ મેઘવાલ, કિરેન રિજિજુ, અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર પટેલ, હિમંતા બિસ્વા સરમા, વિષ્ણુદેવ સાંઈ, રવિશંકર પ્રસાદ, સુશીલ મોદી, કેશવ પ્રસાદ, કેશવ પ્રસાદ, રાજકુમાર ચંદુભાઈ, રાજેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. વિનોદ તાવડે, રાધામોહન દાસ, ઓપી ધનખર, અનિલ એન્ટોની, તારિક મન્સૂર વગેરેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ભાજપે લોકસભા ચૂંટણીને લઈને અત્યાર સુધી 7 યાદી જાહેર કરી છે. સાતમી યાદી સાથે ભાજપે અત્યાર સુધીમાં તેના 407 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ 101 સાંસદોની ટિકિટ રદ કરી છે.
 

    follow whatsapp