UP પોલીસનું વધુ એક એન્કાઉન્ટર, MLAની હત્યાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ પર ગોળી ચલાવનાર ઉસ્માન ઠાર

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસની કાર્યવાહી ચાલુ છે. હત્યા કેસમાં વધુ એક આરોપીનું એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટરમાં વિજય કુમાર ઉર્ફે ઉસ્માન ચૌધરી માર્યો ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉસ્માને જ ઉમેશ પાલને પહેલા ગોળી મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ એન્કાઉન્ટર પ્રયાગરાજના કૌંધિયારા વિસ્તારમાં થયું હતું. આ દરમિયાન ઉસ્માન ચૌધરીને ગોળી વાગી હતી. તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે SRN હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. Aaj Tak ને મળેલી માહિતી મુજબ વિજય કુમારે થોડા વર્ષો પહેલા ઈસ્લામ અંગીકાર કર્યો હતો અને ઉસ્માન બન્યો હતો.

હત્યા કેસમાં બીજું એન્કાઉન્ટર
ઉમેશ પાલ હત્યા કેસમાં આ બીજું એન્કાઉન્ટર છે. અગાઉ પોલીસે અતીક અહેમદના નજીકના સાથીદાર અરબાઝની હત્યા કરી હતી. અરબાઝ ક્રેટા કાર ચલાવતો હતો જેનો ઉપયોગ ઉમેશ પાલની હત્યામાં કરવામાં આવ્યો હતો. અરબાઝ અતીક અહેમદની કાર પણ ચલાવતો હતો.

24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં એન્કાઉન્ટર થયું હતું
24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના બે ગનર્સને બદમાશોએ ઠાર માર્યા હતા. રાજુપાલ હત્યા કેસમાં ઉમેશ પાલ સાક્ષી હતો. ઉમેશ કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ બદમાશોએ તેના પર ગોળીબાર કર્યો. આ દરમિયાન ગોળી વાગવાથી તેનું અને તેના ગનરનું મોત થયું હતું. બદમાશોએ 44 સેકન્ડમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

અતીક અહેમદ પર કાવતરાનો આરોપ
અતીક અહેમદ પર ઉમેશ પાલની હત્યાનો આરોપ છે. અતીક હાલ સાબરમતી જેલમાં બંધ છે. પોલીસને શંકા છે કે જેલમાં રહીને અતીકે હત્યાનું સમગ્ર કાવતરું ઘડ્યું હતું. વાસ્તવમાં અતીક અહેમદ રાજુપાલ હત્યા કેસનો મુખ્ય આરોપી છે. રાજુપાલ હત્યા કેસમાં ઉમેશ પાલ સાક્ષી હતો. આટલું જ નહીં, આ હત્યાના કારણને લઈને પોલીસની એક નવી વાર્તા સામે આવી છે. પોલીસ કહી રહી છે કે ઉમેશ પાલનો અતીક અહેમદ સાથે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસે ઉમેશ પાલની પત્ની જયા પાલની ફરિયાદ પર કેસ નોંધ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT