Gujarat Covid19 Update: નવા 176 કેસ નોંધાયા, 1નું મોત, કુલ એક્ટીવ કેસ 916 થયા

Urvish Patel

ADVERTISEMENT

corona
corona
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહ્યા છે. કોરનાને લોકોએ જે રીતે હવે હળવેકથી લેવાનું શરૂ કર્યું છે ત્યાં સતત કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. હજુ હમણાં ગઈકાલે જ 118 નવા કેસ નોંધાયા હતા ત્યાં બીજા નવા 176 કેસ ગુજરાતમાં નોંધાતા તંત્ર ચિંતાતુર બન્યું છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 90 કેસ નોંધાયા છે. જ્યારે ભરૂચ જિલ્લામાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.

નિ:સંતાન પરિણીતાને પુત્ર પ્રાપ્તિનું પ્રલોભન આપી ભૂવાએ આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

કોરોનાએ ચિંતા વધારી
બીજી તરફ 69 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,67,046 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે રાજ્યમાં હાલ કુલ 916 એક્ટિવ કેસ છે. જે પૈકી 3 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 913 નાગરિકો સ્ટેબલ છે. આજે ભરૂચ જિલ્લામાં વધુ એક વ્યક્તિનું કોરનાથી મોત થયું છે ત્યારે અત્યાર સુધીમાં કુલ 11,048 નાગરિકોના કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જેના કારણે કોરોનાથી સતર્ક રહેવું પણ એટલું જ જરૂરી બન્યું છે. સતત વધી રહેલા કોરોનાના આંકડા અને વધુ એક મોતથી આરોગ્ય તંત્રની ચિંતાઓ વધી છે. કારણ કે આજના દિવસમાં માત્ર 817 લોકોએ જ કોરોનાની વેક્સીનના વિવિધ ડોઝ લીધા છે.

વિશ્વગુરુની દોડમાં હજુ પણ બને છે આવી ઘટનાઓ, રાજકોટમાં ગટરમાં ઉતરેલા બે સફાઈકર્મીના મોત

વેક્સિનેશનમાં ઘટાડો
ગુજરાતમાં આજના દિવસના કોરોનાના આંકડાઓમાં અમદાવાદ સૌથી મોખરે છે જ્યારે તે ઉપરાંત મહેસાણા, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં કોરોનાના મોટા પ્રમાણમાં કેસ વધવા લાગ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં આજે માત્ર 39 લોકોએ કોરોનાનો પ્રિકોશન ડોઝ લીધો છે, 18 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં પ્રથમ ડોઝ 47 અને બીજો ડોઝ 78 લોકોએ લીધો છે. જ્યારે 12થી 14 વર્ષના માત્ર 1 કિશોરે પ્રથમ અને 1 કિશોરે બીજો ડોઝ લીધો છે જ્યારે 15થી 17 વર્ષના વ્યક્તિઓમાં માત્ર 3 વ્યક્તિએ પ્રથમ ડોઝ અને 2 વ્યક્તિએ બીજો ડોઝ લીધો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT