નિ:સંતાન પરિણીતાને પુત્ર પ્રાપ્તિનું પ્રલોભન આપી ભૂવાએ આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ, આણંદ : રાજ્યમાં દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અંધશ્રદ્ધાની આડમાં દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. આણંદ જિલ્લાના આંકલાવ માં ભુવાએ નિ:સંતાન મહિલાને પુત્ર પ્રાપ્તિનું પ્રલોભન આપી તેને બે મહિના ગોંધી રાખી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે અંગે આખરે મહિલાએ પોલીસનો આશરો લઇ ફરિયાદ નોંધાવી છે. ત્યારે આંકલાવ પોલીસે દુષ્કર્મ ની ફરિયાદના આધારે તપાસ કરી ગણતરીના કલાકોમા જ આરોપીને દબોચી લીધો છે. હાલ તો પોલીસે દુષ્કર્મ આચરનાર ભુવા અને તેના પિતાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સંતાન પ્રાપ્તિ માટે પથ્થર પૂજ્યા એટલા દેવ કરતી હોય છે. પરંતુ અમુક લે ભાગુ તાંત્રિકો અને ભુવાઓને કારણે મહિલાઓ મુશ્કેલીમાં મુકાઇ જતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના આણંદ જિલ્લાના આંકલાવમા સામે આવી છે કે જ્યાં એક તાંત્રિકે નિ:સંતાન મહિલાને પુત્ર પ્રાપ્તિનુ પ્રલોભન આપી તેની પર દુષ્કર્મ આચર્યું. સતત‌ બે‌ મહીના સુધી તાંત્રિકે મહિલાને ગોંધી રાખી હતી. એટલુજ નહિ તાંત્રિકના પિતા કે જે નિવૃત્ત શિક્ષક છે, તે પણ પરણિતાને અડપલાં કરતો હોવાનું સામે આવતા ઓહાપો મચ્યો છે.

આ રીતે ભુવન સંપર્કમાં આવ્યા
આણંદ જિલ્લાના પેટલાદના એક ગામમાં રહેતી આશરે 28 વર્ષીય યુવતીના લગ્ન ખેડા જિલ્લાના નડિયાદના એક ગામમાં થયા હતા. સુખી લગ્ન જીવનમાં આઠ વર્ષ થયા બાદ પણ સંતાન પ્રાપ્તિ નહોતી થઈ. જેને લઇને મહિલાએ અનેક માનતા અને બાધા માની હતી. પરંતુ કોઈ પણ પરિણામ મળ્યું નહોતું. એવામાં એક દિવસ પરિણીતાના સસરાના મિત્ર કિરીટભાઈ વાઘેલાએ આણંદ જિલ્લાના આંકલાવના ખડોલ ગામે રહેતો એક ભુવો સંતાન પ્રાપ્તિની વિધિ કરી આપે છે. તેમ કહ્યું હતું જેને લઈને દંપતી આંકલાવના ખડોલ ગામે રહેતા તાંત્રિક નિતેશ મનુ સોલંકીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તાંત્રિકે સંતાન પ્રાપ્તિ માટે વિધિ કરવી પડશે તેમ જણાવ્યું હતું. સાથેજ છ મહિના સુધી રવિવાર ભરવા પડશે અને ત્યારબાદ ભગવાનની કૃપા થશે તો દીકરો અવતરશે તેમ જણાવ્યું હતું. ત્યારે સંતાન મોહમાં તાંત્રિકની વાતોથી અંજાઈ ગયેલી પરણીતા તેના પતિ સહિતના સભ્યો સાથે દર રવિવારે આંકલાવ જતી હતી, જ્યાં આ પાખંડી તાંત્રિક નિતેશ તેની વિધિ કરતો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
દરમ્યાન 25 મી નવેમ્બર 2022 ના રોજ પરિણીતા પિયર ગઈ હતી. જેની જાણ તાંત્રિક નિતેશ ને થતા જ તે તેના પિયર પહોંચી ગયો. આ તાંત્રિકે પરણિતાને બહેન બનાવી હતી. જેને લઇને તે પરણીતા ના ઘરે આરામથી પોહચી ગયો. અને વિધિ કરાવવી પડશે તેમ કહીને તેને બાઈક પાછળ બેસાડી ખેડા જિલ્લાના મહેમદાવાદમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિર લઈ ગયો હતો. રાત્રિના ત્રણ વાગ્યા સુધી પીડિતાને તે વિસ્તારમાં બાઈક પર ફેરવ્યા બાદ આકલાવમાં તેના ઘરના ભોયરામાં લઈ જઈ પરિણીતાને નિર્વસ્ત્ર કરી તેના શરીર પર કંકુ લગાવીને દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં નિતેશના પિતા અને નિવૃત્ત શિક્ષક એવા મનુ સોલંકી પણ પરિણીતા પાસે પહોંચ્યો અને તેની શારીરિક છેડતી કરી જો તે નિતેશ કહેશે તેમ કરશે તો અવશ્ય બાળક થશે તેમ જણાવ્યું હતું.

મકાન ભાડે રાખી ત્યાં ગોંધી રાખી
આ ઘટનાથી પરિણીતા ગભરાઈ ગઈ હતી. પાખંડી તાંત્રિકે આંકલાવ માં પોતાના ઘરના ભોંયરામાં થોડો સમય ગોંધી રાખ્યા બાદ આસોદરમાં આવેલ ઇન્દ્ર ટાઉનશીપનું મકાન ભાડે રાખીને ત્યાં તેને ગોંધી રાખવામાં આવી હતી. અને ત્યાં પણ તેની સાથે અવારનવાર દુષ્કરમાં આચર્યું હતું. પરંતુ જ્યારે બીજી ફેબ્રુઆરી ના રોજ તાંત્રિક કોઈ કામ થી બહાર નીકળ્યો ત્યારે તકનો લાભ લઈ તે ઘરમાંથી ભાગી નીકળી હતી. અને રસ્તામાં કોઈની પાસેથી મોબાઇલ લઈ તેના પતિ અને ભાઈને ફોન કર્યો હતો અને સમગ્ર ઘટના જણાવતા તેઓ તેને ઘરે લઈ ગયા હતા. ઘટનાથી ગભરાયેલી પરણીતા અને તેના પતિએ હિંમત કરી આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મામલો પ્રકાશ માં આવ્યો. ઘટનાને પગલે પોલસે આરોપી તાંત્રિક અને તેના પિતાની ગણતરીના કલાકોમાં ધરપડક કરી વધુ તપાસ હાથ ધરી છે .

ADVERTISEMENT

જાણો શું કહ્યું પોલીસ તંત્રએ
દુષ્કર્મની ઘટનાને લઈ પેટલાદ ડીવાયએસપી પી.કે.દીયોરાએ જણાવ્યું કે,આંકલાવ પોલીસ સ્ટેશનના ખડોલ ગામે એક 27 વર્ષીય પરણીત મહિલા રહેતા હતા તેમના પરિવાર સાથે. એમને છેલ્લા આઠ એક વર્ષના લગ્ન જીવનમાં કોઈ બાળક થયેલ ન હોય જેથી તેમના સસરાના એક મિત્ર નિતેશભાઇ સોલંકીએ આવી ધાર્મિક વિધિ કરે છે અને આ વિધિથી બાળક થતા હોય છે તેવી તેમની ઓળખાણ હતી. એના આધારે એમણે આ બેન અને એમના પતિનો સંપર્ક કર્યો હતો. અને આ નિતેશભાઇએ એમના પપ્પાની મદદ થી આ બેનને છેલ્લા ચારેક મહિનાથી દર રવિવારે વિધિ માટે બોલાવ્યા હતા. શરૂઆતમાં વિધિ કરીને એમને મોકલી દેતા હતા. ત્યારબાદ વધુ નજીક આવી અને ધર્મની બહેન તરીકે માનીને એની સાથે બાઈક પર બેસાડી પોતાના ઘરે ભોયરામાં એક રૂમ છે ત્યાં એની સાથે વિધિના બહાને શારીરિક સંબંધ બાંધ્યો હતો. અને એમના જે પિતા છે મનુભાઈ સોલંકી એમણે આ કૃત્ય કરવામાં સહકાર આપ્યો હતો અને એમણે પણ શારીરિક છેડછાડ કરી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. પછી એમણે પતિને વાત કરી અને પતિ પત્ની હિંમત કરતા આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં આવ્યો છે. અને આંકલાવ પોલીસ મથકે મનુભાઈ સોલંકી અને નિતેશ સોલંકી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને બંને આરોપીઓને હાલમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: શહેરા તાલુકાના પંચાયતના વિરોધ પક્ષના નેતા જે. બી. સોલંકીએ કલેક્ટર કચેરીમાં જ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ , જાણો શું છે કારણ

વિધિના બહાને કંકુ લગાડી આચર્યું દુષ્કર્મ
આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિણીતા એ જણાવ્યું કે, ખેડા જિલ્લાના એક ગામમાં રહીએ છે. અમે ત્યાંથી ખડોલ વાઘા લેવા ગયા હતા. નિતેશભાઈ ભૂવા તરીકે મારા સસરાના ઓળખાણમા. અને અમને તેઓ તેમની ઘરે લઈ ગયા ત્યાં તેમણેઅમને બાધા આપી હતી કે તમારે છ મહિના રવિવાર ભરવા પડશે. તો તમારે દીકરાનો જન્મ થશે. ત્રણ ચાર મહિના સળંગ રવિવાર મેં અને મારા પતિએ ભર્યા. પછી વચ્ચે હું બીમાર થઈ તે મારા પિયર ગઈ. મારો ભાઈ મને લેવા આયો હતો અને અઠવાડિયું રહેવા ગઈ. ત્યાં અઠવાડિયું રહી પછી રાત્રે મારા પપ્પા મના ફોનમાં નીતિશભાઈ કરીને ભુવાજી નો ફોન આવ્યો કે અમે તારા ઘરની બાજુમાં ખોડીયાર માતાનું મંદિર છે ત્યાં ઉભા છે, ત્યાં તું આય. હું ત્યાં મારા પપ્પાનો ફોન લઈને ત્યાં ગઈ, તો પછી તેઓ એવું કહ્યું કે તારી એક વિધિ બાકી છે એટલે તું બીમાર થઈ ગયેલી છે. તે વિધિ મેમદાવાદ બાજુ કરવી પડશે. તો હું તને કલાકમાં પાછી મૂકી જઈશ તેવું કહીને તેઓ મને વિધિના બહાને છેતરીને લઈ ગયા હતા. જોકે ત્યાં કોઈ વિધિ કરી ન હતી અને સીધા એમના ઘરે લાવી દીધી હતી. અને ઘરે લાવીને તેઓએ મને ભોયરામાં ગોંધી રાખી હતી. અને મારી સાથે મારા કપડા ઉતારીને ફોનમાં ફોટા પાડ્યા અને આખા શરીરે કંકુ લગાયુ, કપાળે કંકુ લગાડ્યું, અને મારી સાથે જોર જબરજસ્તી કરીને મારી પર દુષ્કર્મ આચર્યુ.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT