અમરેલીમાં લખપતિ બાપ્પા, ગણપતિ દાદાને 21 લાખની ચલણી નોટોનો અનેરો શણગાર કરાયો
Ganeshotsav 2023: દુનિયાભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વકની ઉજવણી થઈ રહી છે. પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ભક્તોએ ગણપતિ મહોત્સવમાં બાપ્પાને લખપતિ બનાવ્યા છે. સાવરકુંડલા ખાતે…
ADVERTISEMENT

Ganeshotsav 2023: દુનિયાભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વકની ઉજવણી થઈ રહી છે. પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ભક્તોએ ગણપતિ મહોત્સવમાં બાપ્પાને લખપતિ બનાવ્યા છે. સાવરકુંડલા ખાતે ગણેશ મહોત્સવ ઉજવતું સદભાવના ગ્રુપનું દ્વારા લાખો રૂપિયાની ચલણી નોટો વડે શણગાર કરવામાં આવ્યો હતો.
બાપ્પાને 10,20, 50 અને 100ની નોટોથી શણગાર
અમરેલીમાં સદભાવના ગ્રુપ દ્વારા કડકડતી ચલણી નોટોથી ગણપતિ બાપ્પાનો શણગાર કરવામાં આવ્યો હતો. રૂપિયા 10 થી લઈને 20, 50, 100, 200 અને 500 ની ચલણી નોટો વડે ગણપતિ બાપ્પાને શણગારવામાં આવ્યા હતા. ત્યારે આ ગણપતિ લખપતિ બન્યા હોય મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની મોટી તેમના દર્શન કરવા માટે ઉમટી પડી હતી. ગણપતિ બાપ્પાના આ ખાસ શણગાર માટે એક મહિનાથી ગ્રુપના સભ્યો તૈયારીઓ કરતા હતા. જેમાં ગણપતિ બાપ્પાનો મુગટ પણ 500ની નોટો તો 200 નોટોથી હારનો શણગાર કરાયો હતો. હાથમાં પણ ચલણી નોટો તો પગમાં નોટોની સુંદર ગોઠવણ કરીને 21 લાખની રોકડ સાથે ગણપતિનો શણગાર કરાયો હતો. બાપ્પાના દર્શન કરીને દરેક દર્શનાર્થીએ ધન્યતા અનુભવી હતી.
ADVERTISEMENT
ગણપતિ મહોત્સના 21 વર્ષ પૂરા થયા
છેલ્લા 21 વર્ષથી આ સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાતા ગણપતિ મહોત્સવમાં પ્રથમ વાર 5 લાખની ચલણી નોટોથી ગણપતિ બાપાનો શણગાર સજાવવામાં આવ્યો હતો. 15 વર્ષ પહેલા ગણપતિ લખપતિનો આકર્ષક ફ્લોટ ધીમેધીમે ચલણી નોટો વધતી ગઈ અને આજે 21 લાખ રૂપિયાથી ગણપતિને લખપતિ બનાવાયા હતા. આ અંગે સદભાવના ગ્રુપના આયોજક રાજુભાઈ નાગ્રેચાએ ટીમ વર્ક અને એક માસની મહેનતનું પરિણામ એજ પરમ પૂજ્ય ઉષા મૈયાના આશીર્વાદ ગણાવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
(હિરેન રવિયા, અમરેલી)
ADVERTISEMENT