Ambaji Bhadarvi Poonam News: અંબાજી પાસે 1 કલાકમાં 3 અકસ્માતઃ હિટ એન્ડ રનની ઘટનાઓથી ચિંતા
Ambaji Bhadarvi Poonam News: અંબાજીમાં હાલમાં ભાદરવી પૂનમના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ત્યારે અહીં ભાદરવી પૂનમ ભરવા માટે ભક્તો પગપાળા પણ…
ADVERTISEMENT

Ambaji Bhadarvi Poonam News: અંબાજીમાં હાલમાં ભાદરવી પૂનમના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ત્યારે અહીં ભાદરવી પૂનમ ભરવા માટે ભક્તો પગપાળા પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ પગપાળા સંઘથી લઈને એકલા કે મિત્ર વર્તૂળો સાથે આવનારા સહિતના લોકોને રોડ પાસે ચાલતી વખતે અકસ્માતનો ભય રહેતો હોય છે. હાલમાં જ સાબરકાંઠામાં પગપાળા જતા લોકોને અકસ્માતથી બચાવવા એક તરફનો રોડ બંધ કરવનો નિર્ણય લેવાયો હતો. જ્યારે હવે સ્થિતિ એવી છે કે છેલ્લા 1 કલાકમાં ત્રણ અકસ્માત થયા છે. જેને લઈને ચિંતાનું મોજુ જોવા મળી રહ્યું છે.
RAJKOT માં ફૂડ માર્કેટનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો દટાયા, 1 મોતની આશંકા
અંબાજીમાં બની ત્રણ ઘટનાઓ
અંબાજીની નજીકમાં જ હિટ એન્ડ રનની અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. અંબાજીમાં માત્ર એક કલાક જેટલા જ અંતરાલમાં 3 અકસ્માતની ઘટનાઓ જોવા મળી છે. અંબીજીની આસપાસના વિસ્તારોમાં વાહનોના અલગ અલગ જગ્યાએ અકસ્માત થયા છે. પન્છા પાસે એક અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત ત્રિશૂળિયા ઘાટ પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા એક ખલાસી ઘાયલ થયો છે. જ્યારે હડાદ નજીક રાણપુર પાસે રસ્તે ચાલતા જતા પદયાત્રીને કોઈ વાહન ચાલક અડફેટે લઈને ભાગી ગયો હતો. ત્રણ અકસ્માતમાં 2 પુરુષને ઈજાઓ થઈ હતી જ્યારે 1 અંબાજીની મહિલાનું મોત થયું છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે હજુ તો મેળો પણ ચાલુ છે અને તેવા સંજોગોમાં અકસ્માતો એક પછી એક બનવા લાગતા તંત્ર માટે પણ આ ચિંતાનો વિષય હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 23મીએ પાંસા પાસે એક્સિડેન્ટ થયો હતો અને 24મીએ પણ ચીખલી પાસે એક્સિડેન્ટ થયો હતો અને હવે એક જ કલાકમાં ત્રણ અકસ્માત થયા છે.
(ઈનપુટઃ શક્તિસિંહ ગોહિલ, અંબાજી)
ADVERTISEMENT
ADVERTISEMENT