ઘરમાં માં લક્ષ્મીજીની મૂર્તિ છે તો ક્યારેય ન કરતા આ ભૂલો

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં માં લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત છે, તો તમારે ક્યારેય પાંચ ભૂલ ન કરવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં ક્યારેય લક્ષ્મીની એકથી વધુ મૂર્તિઓ ન રાખવી જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

જો માં લક્ષ્મીજીની મૂર્તિ ગણેશજીની મૂર્તિની સાથે રાખી છે, તો તેને હંમેશા જમણી બાજુ રાખો. જો કુબેરજીની મૂર્તિની સાથે છે તો તેને હંમેશા ડાબી બાજુએ રાખો. 

માં લક્ષ્મીની મૂર્તિ હંમેશા ઘરના મંદિરમાં રાખો. ધ્યાન રાખો કે માતાજીની મૂર્તિને ક્યારેય જમીન પર ન રાખો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, માં લક્ષ્મીજીની મૂર્તિ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખો. આમ કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. મૂર્તિને ક્યારેય ખોટી દિશામાં ન રાખો.

એવું માનવામાં આવે છે કે માં લક્ષ્મીજીની એવી મૂર્તિ ઘરમાં લાવવી હંમેશા વધુ સારી રહે છે જેમાં ધનના દેવી કમળના આસન પર બિરાજમાન હોય.

માં લક્ષ્મીની મૂર્તિને ઘરમાં ક્યારેય ઉભી સ્થિતિમાં ન રાખવી જોઈએ. મૂર્તિ ખંડિત થયેલી પણ ન હોવી જોઈએ.

જો તમે આ ભૂલ કરશો તો તમારે ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે. નાણાકીય સમસ્યાઓ તમને ઘેરી શકે છે.