ખરાબ સમય આવવાનો સંકેત બની શકે આ 3 વસ્તુઓ, ઘરમાંથી જતી રહેશે સમૃદ્ધિ

આચાર્ય ચાણક્યએ એવી 3 વસ્તુઓનું વર્ણન કર્યું છે જે ઘરમાં થાય તો પરેશાની આવવાના સંકેત હોઈ શકે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે જે પણ ઘરોમાં આ 3 વસ્તુઓ થાય ત્યાં ક્યારેય સમૃદ્ધિ વધારે સમય ટકતી નથી.

આચાર્ય ચાણક્ય મુજબ, જે ઘરમાં કંકાશનો માહોલ હંમેશા રહે છે, પરિવારમાં તણાવ હોય તે ખરાબ સંકેત હોઈ શકે છે.

ચાણક્ય મુજબ, ઘરમાં કારણ વિના લડાઈ-ઝઘડા થતા રહે તો સમજો કે ઘર બરબાદ થવાની અણીએ છે.

ચાણક્ય અનુસાર આવા ઘરમાં ક્યારેય લક્ષ્મી અને કુબેર ભગવાન વાસ નથી કરતા. લોકો આર્થિક તંગીથી પરેશાન રહે છે.

ચાણક્ય અનુસાર, જો ઘરમાં લાગેલો તુલસીનો છોડ સૂકાવા લાગે, તો આ પણ ખરાબ સંકેત હોઈ શકે છે.

જે ઘરમાં લોકો ભગવાનની ઉપાસના કે પૂજા-પાઠ નથી કરતા તો આ ભવિષ્ય માટે ખરાબ સંકેત હોઈ શકે છે.

આવા ઘરમાં ખુશીઓ અને સુખ-શાંતિ નથી રહેતી. ચાણક્ય કહે છે, વ્યક્તિએ રોજ સૂર્યાસ્ત પહેલા અને પછી ભગવાનની ભક્તિ કરવી જોઈએ.