બુદ્ધ પૂર્ણિમાના દિવસે ઘરે લાવો આ શુભ વસ્તુ, માં લક્ષ્મી બનાવશે માલામાલ

બુદ્ધ પૂર્ણિમા આ વખતે 23 મે, ગુરુવારે મનાવવામાં આવશે. તેને વૈશાખ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

હિન્દુ પંચાંગ અનુસાર, વૈશાખ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના રોજ દર વર્ષે બુદ્ધ પૂર્ણિમા મનાવવામાં આવે છે.

બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને વિશેષ દાનનું મહત્વ હોય છે.

બુદ્ધ પૂર્ણિમાના દિવસે માત્ર ગૌતમ બુદ્ધની જ નહીં ભગવાન વિષ્ણુ અને શ્રી હરિની ઉપાસના પણ કરવામાં આવે છે.

તો ચાલો જાણીએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે કઈ વસ્તુ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે.

બુદ્ધ પૂર્ણિમાના દિવસે બુદ્ધની મૂર્તિ લાવવી ખૂબ જ શુભ છે. વાસ્તુ અનુસાર, બુદ્ધની મૂર્તિ લાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

બુદ્ધ પૂર્ણિમાના દિવસે પિત્તળનો હાથી લાવવો પણ શુભ માનવામાં આવે છે. પિત્તળનો હાથી ઘરમાં લાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

એવું કહેવાય છે કે માં લક્ષ્મીજીને શ્રીયંત્ર ખૂબ જ પ્રિય છે. તેથી તેને બુદ્ધ પૂર્ણિમાના દિવસે લાવવું જોઈએ.

બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચાંદીનો સિક્કો લાવવો જોઈએ. આ દિવસે એવો સિક્કો લાવો જેના પર માં લક્ષ્મીજી અને શ્રી ગણેશનું ચિત્ર હોય.