જો તમે કોઈ કંપનીમાં નોકરી કરી રહ્યા છો અને તમે નોકરી છોડવા માંગો છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.
જ્યારે તમારી પાસે નવી નોકરીની ઓફર હોય ત્યારે જ તમારે નોકરી છોડવાનો નિર્ણય લેવો જોઈએ. નિર્ણય લેતા પહેલા સારી રીતે પ્લાનિંગ કરી લો.
જો તમે નોકરી છોડ્યા પછી થોડો સમય બ્રેક લેવા માંગતા હોવ, તો ખાતરી કરો કે તમારી પાસે પૂરતી બચત છે કે નહીં, જેથી તમે તમારા ખર્ચને સરળતાથી ચલાવી શકો.
જો તમે જોબ છોડવા માંગો છો તો નોટિસ પિરિયડ ચોક્કસ પૂર્ણ કરો. આનાથી તમારી ઈમ્પ્રેશન સારી રહેશે.
જો તમે નોકરી છોડવા માંગો છો તો તરત જ નોકરી ન છોડો. કર્મચારીએ તમામ પેન્ડિંગ કામને પૂરા કરવા જોઈએ. કોઈ પણ કામ અધૂરું ન છોડવું જોઈએ.
નોકરી છોડ્યા પછી નકારાત્મક વાતોથી દૂર રહેવું જોઈએ. વ્યક્તિએ પોતાની જાતને સકારાત્મક રાખવી જોઈએ.
નોકરી છોડ્યા પછી પણ તમારે જૂની કંપની સાથે સંપર્ક જાળવી રાખવો જોઈએ, જેથી ભવિષ્ય માટે તકો ખુલ્લી રહે.
જો તમે નોકરી છોડી રહ્યા છો અને તમારું કામ કોઈને હેન્ડઓવર કરી રહ્યા છો તો તેની સંપૂર્ણ માહિતી તેમની સાથે શેર કરો.
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમે નોકરી સારી રીતે છોડી શકો છો. આ તમારા કરિયરને સફળ બનાવવામાં મદદ કરશે.