ક્યાં છે 'ઓમ નમ: શિવાય'ના શિવ? અસલી સાપ સાથે શૂટ કર્યું, 27 વર્ષમાં આટલા બદલાયા

શિવરાત્રિની દેશભરમાં ધૂમ છે. ટીવી પર ઘણા એક્ટર્સે શિવનું પાત્ર કર્યું. આ પાત્રથી ઘણા એક્ટર્સનું કરિયર ચમક્યું છે.

તમને 1997માં આવેલો શો 'ઓમ નમ: શિવાય' યાદ છે? દૂરદર્શનનો આ શો લોકપ્રિય હતો. જેમાં શિવનું પાત્ર યશોધન રાણાએ ભજવ્યું હતું.

તેમણે મહાદેવનું પાત્ર એવું ભજવ્યું કે તેમનામાં લોકોને શિવની ઝલક દેખાતી. આજે યશોધન ક્યાં છે, કેવા દેખાય છે, જાણો.

એક્ટર આજે પણ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તે ઘણી એડ, ફિલ્મો, ટીવી શોમાં દેખાય છે. 

યશોધન ફિટનેસ ફ્રીક છે. આ ઉંમરે પણ તેઓ હેન્ડસમ દેખાય છે. તેમની કિલર પર્સનાલિટી પર આજે પણ છોકરીઓ ફીદા છે.

યશોધને શિવ જ નહીં, ઈન્દ્રજીત, મેઘનાદ, કૃષ્ણ, પ્રહલાદનું પણ પાત્ર ભજવ્યું છે. તેમણે આક્રોશ, સાવધાન ઈન્ડિયા, CID શોમાં કામ કર્યું છે.

યશોધનને એકલા રહેવું પસંદ છે. તેમણે હજુ સુધી લગ્ન નથી કર્યા. ધર્મ તરફ તેમનો ઝુકાવ વધારે છે.

એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, ઓમ નમ શિવાયના શૂટિંગ સમયે તેમના ગળામાં અસલી સાપ હતો. તે સમયે તેના રાઈટ્સ હતા.

તેમણે કહ્યું- દરેક શોટ વખતે સાપ શું કરશે? અમને ખબર નહોતી. ખૂબ મુશ્કેલીથી અમે શૂટિંગ કર્યું હતું.