ઘર છોડીને કેમ ભાગ્યા હતા 'તારક મહેતા'ના રોશન સોઢી? પહેલીવાર એક્ટરે આપ્યો જવાબ
ટીવી એક્ટર ગુરુચરણ સિંહ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'શોમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને ફેમસ થયા.
22 એપ્રિલથી તે અચાનત ગાયબ થઈ ગયા હતા, આ પછી 24 દિવસ બાદ 17 મેએ તેઓ ઘરે પાછા ફર્યા હતા.
હવે એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે ગુમ થવા અને સ્વાસ્થ્ય વિશે વાત કરી અને કહ્યું કે, ઘરે પાછા આવીને તબિયત ઠીક નહોતી. માથામાં ભયાનક દુઃખાવો હતો.
તે ખૂબ નબળાઈ અનુભવી રહ્યો હતો. પરંતુ હવે બાબતો કન્ટ્રોલમાં છે. તે કહે છે- હું હવે ઠીક છું, ધીમે ધીમે વસ્તુઓ ઠીક થઈ રહી છે.
એક્ટરને જ્યારે પૂછાયું કે તે આટલા દિવસ ક્યાં હતા, તેના પર કહ્યું કે- પહેલા ઘણી વસ્તુ ખતમ કરવાની છે. પછી તેના પર વાત કરીશું.
ગુરુચરણનું કહેવું છે કે તેમના મિસિંગ કેસથી સંબંધીત મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટ કાર્યવાહી પૂરી થયા બાદ તે તેના પર વાત કરશે.
એક્ટરે કહ્યું- જલદી હું બધુ જણાવીશ. મેં શા માટે આવો નિર્ણય લીધો. બસ મને થોડો સમય આપો. બધા સવાલોના જવાબ આપીશ.
નેશનલ ક્રશ Rashmika Mandana ના મનમાં કોણ? રિલેશનને લઈ આપ્યા સંકેત
Related Stories
ઓલિમ્પિકમાં નીતા અંબાણીની સાડી લૂક વાયરલ, જુઓ PHOTOs
હાર્દિક પંડ્યાને ડેટ કરી રહી છે અનન્યા પાંડે? સત્ય સામે આવ્યું
અંબાણી પરિવારની 'લાડકી' ઈશાથી થઈ ભૂલ કે નવી ફેશન?
અંબાણીના મહેમાનો માટે સોનાના વરખવાળું ખાસ પાન, જાણો ક્યાંથી મગાવાયા આ ખાસ પાન