T20 World Cup: રોહિત બાદ કોણ બનશે ભારતીય ટીમના કેપ્ટન? પૂર્વ દિગ્ગજે હાર્દિક-સૂર્યા નહીં...કોઈ અન્યનું લીધું નામ

ADVERTISEMENT

T20 World Cup 2024
રોહિત શર્મા બાદ કોણ બનશે ભારતીય ટીમના કેપ્ટન?
social share
google news

T20 World Cup 2024: IPL 2024 પછી ભારતીય ખેલાડીઓએ T20 વર્લ્ડ કપ રમવાનો છે.  આ ટૂર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં 1થી 29 જૂન દરમિયાન રમાશે. આ વખતે ભારતીય ટીમની નજર ICC ટ્રોફી પર હશે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2013માં ICC ટ્રોફી જીતી હતી. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો.  તો 2007થી T20 વર્લ્ડ કપ જીતવામાં કોઈ સફળતા મળી નથી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ફરી એકવાર પડકાર આપવા માટે તૈયાર છે.

વિકેટકીપર્સની રેસમાં સામેલ છે આ ખેલાડી

IPLની વર્તમાન સિઝનમાં અત્યાર સુધીના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વિકેટકીપરને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. ઋષભ પંચ, સંજુ સેમસન, ઈશાન કિશન, દિનેશ કાર્તિક, કેએલ રાહુલ અને જીતેશ શર્મા આ રેસમાં સામેલ છે. હવે જોવાનું એ રહેશે કે પસંદગીકારો કોને ટીમમાં સામેલ કરે છે. આ વચ્ચે ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે વાઈસ કેપ્ટનને લઈને નવું નામ સામે રાખ્યું છે. હાલ હાર્દિક પંડ્યા ટીમના વાઈસ કેપ્ટન છે.

હરભજનસિંહે સેમસનની વકીલાત કરી 

હરભજનસિંહે વિકેટકીપર વિશે પોતાનો અભિપ્રાય આપ્યો. તેમણે કહ્યું કે સંજુ સેમસનને વાઈસ કેપ્ટન બનાવા જોઈએ અને રોહિત શર્મા બાદ ટી20માં કેપ્ટન માટે તેમને તૈયાર કરવા જોઈએ. સંજુ સેમસનની કેપ્ટનશીપમાં રાજસ્થાનની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે 2022 IPLની ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતું. આ વખતે ટીમ 8માંથી 7 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

રાજસ્થાને મેળવી મોટી જીત 

રાજસ્થાને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 9 વિકેટથી શાનદાર જીત હાંસલ કરી. મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. તેમની ટીમે 20 ઓવરમાં 9 વેકેટ પર 179 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાને 18.4 ઓવરમાં 1 વિકેટ પર 183 રન બનાવીને મેચ જીતી લીધી. 

    follow whatsapp

    ADVERTISEMENT