શાહરૂખ ખાનની IPL ટીમમાં વિદેશી ખેલાડીઓ ખુશ નથી? KKRથી રમેલા ક્રિકેટરનો ચોંકાવનારો દાવો

ADVERTISEMENT

KKR
KKR
social share
google news

IPL 2024 KKR Team Coach Chandrakant Pandit: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં, શ્રેયસ ઐયરની કપ્તાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમે સારી શરૂઆત કરી છે. બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની માલિકીની KKR ટીમે તેની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 4 રનથી હરાવ્યું હતું.

હવે કોલકાતાની ટીમ તેની બીજી મેચ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમવાની છે. આ મેચ આજે બેંગલુરુમાં જ રમાશે. પરંતુ તે પહેલા KKR ટીમના કોચ ચંદ્રકાંત પંડિત ચર્ચામાં આવી ગયા છે.

આ પણ વાંચો: IPLની વચ્ચે 5 ખેલાડીઓને મોટો ઝટકો, બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી કર્યા બહાર

વિદેશી ખેલાડીઓ KKRના કોચથી નાખુશ

છેલ્લી IPL સિઝનમાં KKR તરફથી રમી ચૂકેલા પૂર્વ સાઉથ આફ્રિકા અને નામિબિયાના ઓલરાઉન્ડર ડેવિડ વીઝે ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે કહ્યું કે ઘણા વિદેશી ખેલાડીઓ મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિતની આક્રમક કાર્યશૈલીથી ખુશ નથી.

આ પણ વાંચો

ADVERTISEMENT

IPL 2023માં ત્રણ મેચ રમનાર 38 વર્ષીય ડેવિડ વીઝે કહ્યું કે, વિદેશી ખેલાડીઓને કેવી રીતે જીવવું અને શું પહેરવું તે જણાવવામાં આવતા બિલકુલ ખુશ નથી. તમને જણાવી દઈએ કે ડેવિડ વીઝે પોડકાસ્ટ 'હિટમેન ફોર હાયરઃ અ યર ઇન ધ લાઇફ ઓફ અ ફ્રેન્ચાઇઝી ક્રિકેટર'માં આ વાત કહી છે.

તેણે કહ્યું, 'તે (પંડિત) ભારતમાં ખૂબ જ આક્રમક કોચ તરીકે ઓળખાય છે. તે ખૂબ જ કડક, શિસ્તબદ્ધ કોચ છે. ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં ઘણી વખત દુનિયાભરના વિદેશી ખેલાડીઓને કેવું વર્તન કરવું અને શું પહેરવું તે જણાવવાની જરૂર હોતી નથી. તે તદ્દન મુશ્કેલ હતું.

ADVERTISEMENT

આ પણ વાંચો: SRH સામે MIની ભૂંડી હાર બાદ Hardik Pandya પર વરસ્યા ગુજ્જુ ક્રિકેટર્સ, બેટિંગ-કેપ્ટનશીપ પર ઉઠાવ્યા સવાલ

ઘણા ખેલાડીઓને આ પસંદ ન હતું

ચંદ્રકાંત પંડિત 2022માં KKRના કોચ બન્યા હતા. અગાઉ, તેમણે વિદર્ભને 2018 અને 2019 માં રણજી ટ્રોફી ટાઇટલ અપાવ્યું હતું. મધ્યપ્રદેશે 2022માં તેમની કોચિંગ હેઠળ રણજી ટ્રોફી જીતી હતી. ટી20 વર્લ્ડ કપ 2022માં નામિબિયાની ટીમ સાથે રહેલા વીઝે કહ્યું, 'તે પોતાની રીતે એવી વસ્તુઓ કરવા માંગતા હતા જે ઘણા ખેલાડીઓને પસંદ નહોતી. જેના કારણે ચેન્જિંગ રૂમમાં પણ તણાવ સર્જાયો હતો. ખેલાડીઓ નારાજ હતા કારણ કે તેમણે મેક્કુલમની વિદાય પછી ઘણા બદલાવ જોયા હતા.

ADVERTISEMENT

વીઝે કહ્યું કે, તે બદલાતા વાતાવરણથી પરેશાન નથી. તેણે કહ્યું, 'મને લાગ્યું કે આ તમારું સર્કસ છે. જેમ ઈચ્છો તેમ ચલાવો. હું અહીં રમવા આવ્યો છું અને મને જે કહેવામાં આવશે તે કરીશ. પરંતુ કેટલાક ખેલાડીઓ મારા કરતા વધુ જિદ્દી હતા.

 

    follow whatsapp

    ADVERTISEMENT