MS Dhoni સામે BCCI માં ફરિયાદઃ એથિક્સ કમિટીએ 30 ઓગસ્ટ સુધીમાં માંગ્યો જવાબ, જાણો શું છે વિવાદ

ADVERTISEMENT

મહેન્દ્રસિંહ ધોની સામે ફરિયાદ
MS Dhoni
social share
google news

MS Dhoni: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)  વિરુદ્ધ BCCIમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર પ્રદેશના અમેઠીના રહેવાસી રાજેશ કુમાર મૌર્યએ BCCIની એથિક્સ કમિટીમાં મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ ફરિયાદ પત્ર દાખલ કર્યો છે. આ ફરિયાદ BCCIના નિયમ 39 હેઠળ મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ કરવામાં આવી છે.

BCCIએ 30 ઓગસ્ટ સુધીમાં માંગ્યો જવાબ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIમાં કરવામાં આવેલી આ ફરિયાદ રાંચી સિવિલ કોર્ટમાં મહેન્દ્ર સિંહ ધોની વતી મિહિર દિવાકર વિરુદ્ધ 15 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ સાથે સંબંધિત છે. BCCIની એથિક્સ કમિટીએ આ મામલે મહેન્દ્ર સિંહ ધોની પાસેથી 30 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે. બીજી તરફ રાજેશ કુમાર મૌર્યને આ મામલે 16 સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

શું છે સમગ્ર મામલો?

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે છેતરપિંડી મામલે મિહિર દિવાકર વિરુદ્ધ રાંચીની સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો પૂર્વ ક્રિકેટર મિહિર દિવાકર, સૌમ્ય દાસ અને આર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સામે લાગેલા છેતરપિંડીના આરોપો સાથે સંબંધિત છે. મહેન્દ્ર સિંહ ધોની વતી રાંચીની સિવિલ કોર્ટમાં 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 20 માર્ચ 2024ના રોજ આ મામલે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

આ નિર્ણયમાં 20 માર્ચે સુનાવણી દરમિયાન રાંચી સિવિલ કોર્ટે પ્રથમ દૃષ્ટિએ આ કેસને યોગ્ય ગણ્યો હતો. જે બાદ કોર્ટે આ કેસમાં મિહિર દિવાકર, સૌમ્ય દાસ અને આર્કા  સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સામે સમન્સ જારી કરવાનો આદેશ આપ્યો હતો. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વતી તેમના પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર વિરુદ્ધ રાંચી સિવિલ કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે.


ધોનીના વકીલે કરી હતી દલીલ

જેમાં મહેન્દ્ર સિંહ ધોની તરફથી કહેવામાં આવ્યું છે કે મિહિર દિવાકરે એગ્રીમેન્ટ (કરાર)ની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. સાથે જ 2021માં એગ્રીમેન્ટ રદ થયા પછી પણ મહેન્દ્ર સિંહ ધોનીના નામનો ઉપયોગ મિહિર દિવાકરની કંપની આર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીના વકીલ દયાનંદ સિંહે જણાવ્યું હતું કે આ કંપની દ્વારા દેશમાં અને દેશની બહાર ઘણી એકેડમી ખોલવામાં આવી છે. પરંતુ શરતો મુજબ નફો (પ્રોફિટ) મહેન્દ્ર સિંહ ધોની સાથે વહેંચવામાં આવ્યો ન હતો.

ADVERTISEMENT

મહેન્દ્ર સિંહ ધોનીને 15 કરોડનું નુકસાન 

આ સમગ્ર એગ્રીમેન્ટની શરતોના ઉલ્લંઘનથી મહેન્દ્ર સિંહ ધોનીને લગભગ 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મહેન્દ્ર સિંહ ધોનીના વકીલે ભૂતકાળમાં મિહિર દિવાકરે સોશિયલ મીડિયા પર શેર કરેલા મંતવ્યોનું પણ ખંડન કર્યું હતું. તમને જણાવી દઈએ કે બીજી પાર્ટી મિહિર દિવાકર વતી પણ મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ કાનપુર કોર્ટમાં 1લી ફેબ્રુઆરીએ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે મહેન્દ્ર સિંહ ધોનીએ આ મામલે BCCIને 30 ઓગસ્ટ પહેલા જવાબ આપવો પડશે.

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT