ચોખાના આ ઉપાયથી લક્ષ્મીજી થશે પ્રસન્ન, તિજોરી ધનથી ભરાઈ જશે
Maa Laxmi Ji: માં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે દિવાળીની રાહ શા માટે જોવી? જો તમે માં લક્ષ્મીજીની કૃપા મેળવવા માંગો છો તો ચોખા સાથે સંબંધિત ખાસ ઉપાય કરો. માન્યતા છે કે તેનાથી ઘર ધન-ધાન્યથી ભરાઈ જાય છે.
ADVERTISEMENT

Maa Laxmi Ji: માં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે દિવાળીની રાહ શા માટે જોવી? જો તમે માં લક્ષ્મીજીની કૃપા મેળવવા માંગો છો તો ચોખા સાથે સંબંધિત ખાસ ઉપાય કરો. માન્યતા છે કે તેનાથી ઘર ધન-ધાન્યથી ભરાઈ જાય છે.
ચોખાના ઉપાય
- ચોખાને દેવતાઓનું અન્ન કહેવામાં આવે છે, તમામ ધાર્મિક કાર્યો, યજ્ઞો વગેરેમાં ચોખાનું ઘણું મહત્વ છે, તેથી ખીર દેવી-દેવતાઓને સૌથી વધુ પ્રિય છે.
- દેવતાઓની પૂજામાં ચોખા આખા હોવા જોઈએ એટલે કે તૂટેલા, ખંડિત ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ. પૂર્ણિમાના દિવસે ચોખાની ખીર બનાવો અને ચંદ્રદેવ, લક્ષ્મીજીને પ્રસાદ તરીકે ધરાવો. આમ કરવાથી ધન સહિત ઘણા લાભ મળશે.
ADVERTISEMENT
- માં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે તમારા ઘરના મંદિરમાં 100 ગ્રામ ચોખાનો ઢગલો કરો અને તેના પર માં લક્ષ્મીજીની પ્રતિમા સ્થાપિત કરો. આ કામ તમારે કોઈપણ મહિનાના શુક્લ પક્ષના પ્રથમ શુક્રવારે કરવાનું છે.
- એક મહિના સુધી પ્રતિમાને ચોખા પર બિરાજમાન રાખીને નિયમિત પૂજા કરો. આવતા મહિનાના શુક્લ પક્ષના પ્રથમ શુક્રવારે ચોખાને બદલી નાખો. પ્રતિમાની નીચે રાખેલા ચોખા પક્ષીઓને ખવડાવો. તેનાથી ધન પ્રાપ્તિના નવા-નવા સ્ત્રોત સર્જાશે.
ADVERTISEMENT
- આર્થિક સંકટમાંથી રાહત મેળવવા માટે તમે ચોખાનો બીજો ઉપાય પણ અજમાવી શકો છો. આ માટે કોઈપણ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ દિવસે દરરોજ તમારા પૂજા રૂમમાં માતા લક્ષ્મીની પ્રતિમા પર પાંચ ચોખાના દાણા ચઢાવો.
ADVERTISEMENT
- આ ક્રમ આખો મહિનો એટલે કે અમાવસ્યા સુધી કરો. અમાવસ્યાના દિવસે ચોખા એકઠા કરીને પક્ષાઓને ચણ નાખો. આ સિવાય દર મહિનાના પ્રથમ શુક્રવારે ખીર બનાવીને તેમાં કેસર અને શૂકો મેવો મિક્સ કરીને લક્ષ્મીને પ્રસાદ તરીકે અર્પિત કરવાથી પણ માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.
ADVERTISEMENT