પગમાં સોનાની પાયલ પહેરવી કેમ માનવામાં આવે છે અશુભ? જાણો કારણ
Is it good to wear a gold anklet: છોકરીઓ માટે સોના, ચાંદી, મોતી અને હીરાથી બંનેલી જ્વેલરીનું ખાસ મહત્વ છે. ખાસ કરીને પરિણીત મહિલાઓને સોનાથી બનેલી જ્વેલરી પસંદ આવે છે. તેઓને સોનાની વીંટીથી લઈને નેકલેસ, કાનની બુટ્ટી અને નથની પહેરવી ગમે છે.
ADVERTISEMENT

Is it good to wear a gold anklet: છોકરીઓ માટે સોના, ચાંદી, મોતી અને હીરાથી બંનેલી જ્વેલરીનું ખાસ મહત્વ છે. ખાસ કરીને પરિણીત મહિલાઓને સોનાથી બનેલી જ્વેલરી પસંદ આવે છે. તેઓને સોનાની વીંટીથી લઈને નેકલેસ, કાનની બુટ્ટી અને નથની પહેરવી ગમે છે. આ સિવાય કેટલીક મહિલાઓ પગમાં પણ સોનાની પાયલ (Gold Anklet) પહેરે છે. પરંતુ ધાર્મિક માન્યતા અનુસાર, પગમાં સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ...
ધાર્મિક કારણ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સોનાનો સંબંધ કુંડળીમાં ગુરુ ગ્રહ સાથે છે. આ સિવાય સોનું ભગવાન વિષ્ણુનું પ્રિય ધાતુ પણ છે, કારણ કે તેને ધનની દેવી માં લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણે પગમાં સોનાના આભૂષણો પહેરવામાં આવતા નથી.
જો તમે તમારા પગમાં સોનાની પાયલ પહેરો છો, તો તમે દેવી-દેવતાઓનું અપમાન કરી રહ્યા છો. સોનાની પાયલ પહેરવાથી માં લક્ષ્મીજી ક્રોધિત થઈ શકે છે, જેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે.
ADVERTISEMENT
વૈજ્ઞાનિક કારણ
વૈજ્ઞાનિકોના મતે સોનાથી બનેલી જ્વેલરી પહેરવાથી શરીરમાં ગરમી વધે છે. કારણ કે સોનું ગરમ છે. જ્યારે ચાંદીના ઘરેણાં ઠંડા હોય છે, તેને પહેરવાથી શરીરમાં ઠંડક આવે છે. સાથે જ શરીરનું તાપમાન સંતુલિત રહે છે, જેનાથી મોસમી બીમારીઓ થવાનું જોખમ ઘટે છે.
પગમાં શું પહેરવું શુભ છે?
ધાર્મિક માન્યતા અનુસાર, સોનાની પાયલની જગ્યાએ ચાંદી અને મોતીથી બનેલી પાયલ પહેરવી શુભ હોય છે. આ સિવાય પગમાં સોનાની વીંટી પણ ન પહેરવી જોઈએ. તેનાથી તમારા પતિને આર્થિક નુકસાન થઈ શકે છે. તેમજ ઘરમાં સમસ્યાઓ વધી શકે છે. સોનાની વીંટીને બદલે, તમે ચાંદીની અંગૂઠાની વીંટી પહેરી શકો છો. આને ધારણ કરવું શુભ છે.
ADVERTISEMENT
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતા અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટી કરતા નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT