આવતીકાલે રાહુલ ગાંધી લીગલ ટીમ સાથે આવશે સુરત, કોર્ટના નિર્ણયને પડકારતી અરજી કરશે

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 3 એપ્રિલ, સોમવારે સુરત જઈ શકે છે. અહીં તે ‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં બે વર્ષની સજા સામે સુરત કોર્ટમાં અરજી કરી શકે છે. તાજેતરમાં CJM કોર્ટે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલને બે વર્ષની સજા ફટકારી હતી. આ સજાને કોર્ટમાં પડકારવા માટે રાહુલને એક મહિનાનો સમય પણ આપવામાં આવ્યો છે.   કોર્ટના નિર્ણયને પડકારતી અરજી તૈયાર કરવામાં આવી છે. સોમવારે સુરત પહોંચ્યા બાદ રાહુલ કોર્ટમાં અરજી કરી શકે છે.

રાહુલ ગાંધી મોદી અટક માનહાનિ કેસ માટે આવતીકાલે સોમવારે ફરીથી સુરતમાં આવશે. તેઓ સોમવારે સુરતમાં ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે. બીજી બાજુ . ત્યારે ચૂંટણી પંચે પણ કેરળની વાયનાડ બેઠક માટે પેટાચૂંટણી જાહેર કરી નથી. કારણ કે, કોર્ટ તરફથી રાહુલને અપીલમાં જવા માટે 30 દિવસનો સમય આપવામાં આવેલો છે.

સુરત કોંગ્રેસના કાર્યકર્તા રહેશે કોર્ટમાં હાજર 
રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના તમામ સમર્થકોને આવતીકાલે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. રાહુલ ગાંધી સવારે 10:30 વાગ્યે કોર્ટ પહોંચશે. સુરત કોંગ્રેસના ગ્રુપમાં આ પ્રકારનો મેસેજ આપવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોને કોર્ટમાં આવવા માટે કહેવામાં આવ્યું છે

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT