‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની ‘નાયરા’ હોસ્પિટલમાં એડમિટ, આ ગંભીર બીમારીથી પીડાઈ રહી છે

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ શિવાંગી જોશી પોતાની તબિયતના કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં જ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે હોસ્પિટલના બેડ પર પડેલી જોવા મળી રહી છે. વાસ્તવમાં શિવાંગી કિડનીના ઈન્ફેક્શનથી પીડિત છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. તેણે તેના ફેન્સ માટે એક તસવીર શેર કરી છે, જેમાં તે ખૂબ જ બીમાર દેખાઈ રહી છે.

શિવાંગીની તસવીર જોઈને ફેન્સ ચિંતામાં
તેની આ તસવીરો જોઈને તેના ફેન્સ ખૂબ જ ચિંતિત છે. શિવાંગીની પોસ્ટ પર તેના ફેન્સની સતત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. દરેક વ્યક્તિ તેના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. શેર કરેલી આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે હોસ્પિટલના બેડ પર પડેલી શિવાંગી આ મુશ્કેલ સમયમાં પણ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. તેના બંને હાથ પર સોયના નિશાન છે અને તેને પાટો બાંધવામાં આવ્યો છે.

શું થયું છે એક્ટ્રેસને?
ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શન પણ લખ્યું છે, ‘તમામ લોકોને નમસ્તે, કેટલાક દિવસો ખરાબ હોય છે. મને કિડનીનું ઈન્ફેક્શન છે, પરંતુ હું તમને જણાવવા માંગુ છું કે મારા પરિવાર, મિત્રો, ડૉક્ટરો, હોસ્પિટલ સ્ટાફ અને ભગવાનના આશીર્વાદથી હું સારું અનુભવું છું.’

આ પણ વાંચો

ADVERTISEMENT

અભિનેત્રીની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. તે જ સમયે, તેના ચાહકો તેની આ પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું છે કે, કૃપા કરીને જલ્દી સ્વસ્થ થાઓ. આ સાથે અન્ય એક યુઝરે લખ્યું, તમે જલ્દી ઠીક થઈ જશો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT