'મતોની ફરી થશે ગણતરી, અમાન્ય જાહેર કરાયેલા 8 મત હવે રહેશે માન્ય', ચંદીગઢ મેયરની ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

ADVERTISEMENT

Chandigarh Mayor Poll Case
સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
social share
google news

Chandigarh Mayor Poll Case: ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે મેયરની ચૂંટણીમાં પડેલા મતોની પુન: ગણતરી કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેંચે બેલેટ પેપરની તપાસ કર્યા પછી કહ્યું કે અમાન્ય જાહેર કરાયેલા 8 મત AAP ઉમેદવાર કુલદીપ કુમારની તરફેણમાં પડ્યા હતા. આ રીતે હવે આમ આદમી પાર્ટી માટે ચંદીગઢના મેયર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કોર્ટે કહ્યું કે અમે આદેશ આપીશું કે મેયરની ચૂંટણીના મતોની ફરીથી ગણતરી કરવામાં આવે. આ સિવાય જે 8 વોટ નામંજૂર થયા હતા તે પણ હવે ગણતરીમાં લેવામાં આવે.

સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?

આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય ન્યાયાધીશે વકીલો અને નિરીક્ષકોને બેલેટ પેપર બતાવ્યા અને કહ્યું કે, જે 8 બેલેટ પેપર અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા, તે તમામ પર કુલદીપ કુમાર માટે સ્ટેમ્પ લગાવવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે અનિલ મસીહે આ બેલેટ પેપર પર લાઈન ખેંચી હતી. કોર્ટે એમ પણ પૂછ્યું કે જ્યારે કોઈ ગેરરીતિ નથી તો પછી તમે તેમને ગેરકાયદે જાહેર કરીને લાઈન કેમ ખેંચી? આ અંગે અનિલ મસીહના વકીલોએ કહ્યું કે મતદાન દરમિયાન વાતાવરણ બગડ્યું હતું. આવી સ્થિતિમાં અનિલ મસીહને લાગ્યું કે કદાચ આ લોકો બેલેટ પેપરમાં કોઈ ગેરરીતિ કરી રહ્યા છે.

AAP માટે ચંદીગઢના મેયર બનવાનો રસ્તો સાફ

તે જ સમયે, સુપ્રીમ કોર્ટે ફક્ત જૂના મતોની પુનઃગણતરી કરવાનું કહ્યું છે અને અમાન્ય જાહેર કરાયેલા 8 મતોને સાચા તરીકે સ્વીકાર્યા છે. આવી સ્થિતિમાં, નવી મતગણતરી સાથે, AAP માટે ચંદીગઢના મેયર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પહેલા જ મેયર તરીકે ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર મનોજ સોનકરે રાજીનામું આપી દીધું છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT