નૌકાદળનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, પાણી પર કર્યું ઈમરજન્સી લેન્ડિંગ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: ભારતીય નૌકાદળના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) એ મુંબઈથી નિયમિત ઉડાન ભરી હતી. આ દરમિયાન તે દરિયાકિનારે અકસ્માતનો ભોગ બન્યો હતો. જેના કારણે તેને પાણી પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

ભારતીય નૌકાદળના એક હેલિકોપ્ટરે મુંબઈ કિનારે અરબી સમુદ્રમાં પાણી પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. રાહતની વાત છે કે ક્રૂ મેમ્બરનો બચાવ થયો છે. ભારતીય નૌકાદળના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) એ મુંબઈથી નિયમિત ઉડાન ભરી હતી. આ દરમિયાન તે દરિયાકિનારે અકસ્માતનો ભોગ બન્યો હતો. જેના કારણે તેને પાણી પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

ક્રૂના ત્રણ સભ્યોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા
ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી મળ્યા બાદ સર્ચ અને રેસ્ક્યૂ બાદ ત્રણ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે ઘટનાની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: ઉડતા પ્લેનનો ઇમરજન્સી ડોર ખોલી રહ્યો હતો આ વ્યક્તિ, પછી થઈ ન થવાની

મુંબઈના દરિયાકાંઠે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું
એક અધિકારીએ જણાવ્યું કે ભારતીય નૌકાદળના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર એ બુધવારે મુંબઈના દરિયાકાંઠે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. નૌકાદળના પેટ્રોલિંગ એરક્રાફ્ટ દ્વારા ક્રૂને બચાવી લેવામાં આવ્યો હતો. ભારતીય નૌકાદળ ALH મુંબઈથી નિયમિત ઉડાન ભર્યા બાદ દરિયાકિનારાની નજીક ક્રેશ થયું હતું, અધિકારીએ જણાવ્યું હતું. ત્યારપછીની તાત્કાલિક શોધ અને બચાવમાં, ત્રણ ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT