BIG Breaking: CAA ને લઈ નોટિફિકેશન જાહેર, લોકસભા ચૂંટણી પહેલા જ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

ADVERTISEMENT

BIG Breaking
CAA ને લઈ નોટિફિકેશન જાહેર
social share
google news

CAA Notification: આગામી લોકસભા ચૂંટણીની તારીખો થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર આજે તેનું નોટિફિકેશન જારી કર્યું છે. સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દેશમાં CAA લાગુ કરી દીધું છે.

કેન્દ્ર સરકારે બહાર પડ્યું નોટિફિકેશન 

વાસ્તવમાં, 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં CAAનો સમાવેશ કર્યો હતો. પાર્ટીએ આને મોટો મુદ્દો બનાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે તેમના તાજેતરના ચૂંટણી ભાષણોમાં ઘણી વખત નાગરિકતા સંશોધન અધિનિયમ અથવા CAA લાગુ કરવાની વાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેને લાગુ કરવામાં આવશે. હવે કેન્દ્ર સરકારે આ માટે નોટિફિકેશન બહાર પાડીને તેને લાગુ કરી દીધું છે.

આ પણ વાંચો:- CAA: નાગરિકતા સંશોધન કાયદો શું છે? તેના લાગુ થવાથી દેશમાં શું ફેરફાર થશે, જાણો A to Z

શું છે જોગવાઈ?


CAA હેઠળ મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે, જેને નોટિફિકેશન પછી લૉન્ચ કરવામાં આવશે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT